તારીખ 28/3/2021ના 6 વાગ્યાના અરસામાં અંજાર બસ સ્ટેશનની અંદરની બાજુ એક અજાણી લાસ મળી આવી હતી એ લાશનો કબ્જો લઈ આગળ તપાસ કરતા આ અજાણ્યો ભિક્ષુક જેવો પુરુષ ઉ.વ. આશરે 50 જેટલી હોતા તેનો અંજાર બસ સ્ટેશનની અંદર કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ થઈ ગયેલ હતું જેનું કારણ સામે આવ્યું નથી. જેથી લાશ રેફરલ હોસ્પિટલ અંજાર ખાતે પી.એમ. કરાવી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ ત્યાર બાદ વધુ તપાસ કરતા તેનું નામ-સરનામું કે તે ભિક્ષુક કોણ છે તેની કોઈ પણ માહિતી મળી આવેલ નથી મરણ જનારના ફોટાઓ હાલ સોશિયલ મીડિયા તેમજ વર્તમાનવ પત્રોમાં પ્રસિદ્ધ કરવા માટેની પ્રોસિઝર કરવામાં આવેલ છે તો આ ફોટા વાળા ભિક્ષુક જેવા લાગતા વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા આ વ્યક્તિની થોડી ગણી પણ જાણકારી હોય તો પૂર્વ ક્ચ્છ પોલીસ કન્ટ્રોલ રૂમ અથવા અંજાર પોલીસનો સમર્પ કરવા અનુરોધ કરાયું છે.
(નોંધ – હાલ આ ડેથબોડીને ત્રણેક દિવસનો સમય થઈ ગયો હોવાથી હિન્દૂ શાસ્ત્રોકત વિધિ પ્રમાણે સાંજે અગ્નિદાહ આપવાની પ્રક્રિયા કરવામાં આવશે)
અહેવાલ : અંજાર બ્યુરો
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334