ભૂજની ખારી નદી બાજુ આવેલ ધાર્મિક સ્થળ પર બનાવેલ સૃષ્ટિના સર્જનહાર ભગવાન શિવની મૂર્તિના દર્શન કરવા પરિવાર સાથે બહાર નીકળતા પરિવારના લોકોને નમ્ર અરજ અને હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે આ ભગવાન શિવની મૂર્તિ છે ત્યાં ચંપલ પહેરીને ન જવાય, હા તમારા બાળકો તો નાના છે પણ તમે તો મોટા છો..? સમજદાર છો..? આવી રીતના ચંપલ પહેરી રુદ્રાક્ષની માળાની ઉપર ચંપલ પહેરી ફોટા પડાવવા કેટલા અંશે યોગ્ય છે આપણે ધર્મની વાતો કરતા હોઈએ છીએ પણ આપણે પોતાને આપણું ધર્મ આવું નથી શીખવાડતો..! ધર્મ કોઈ પણ હોય તેના દેવી-દેવતાઓનો માન-સન્માન આપણે પોતાને રાખવું જોઈએ. આપણે ફરવા જઇએ પરિવાર સાથે ત્યારે જગ્યા જોઈ વાતાવરણ જોઇ વાતાવરણ અને જગ્યાને અનુકૂળ રહેવું જોઈએ. અત્યારે વાત છે ખારી નદી બાજુ આવેલ એક ડેવલોપર સાઇડ બાજુ બનાવાયેલી ભગવાન શિવની મૂર્તિના દર્શન કરવા માટે ભીડ ઉમટી પડે છે અને એ ભીડમાં હોંશે હોંશે ફોટાઓ પણ પડાવે છે ફોટાઓ પડાવો કઈ વાંધો નહિ પણ ચંપલ તો ઉતારીને ફોટો પાડવો. આ ફોટોમાં દેખાઈ રહ્યા છે ચંપલ પહેરીને નાના બાળકોને શિવ ભગવાનની મૂર્તિમાં ગળામાં પહેરેલ રુદ્રાક્ષની માળા પર ચંપલ સાથે બાળકને ઊભો રખાવી અને ફોટા પડાવે છે અને ફોટો ફરી પાછું સોશિયલ મીડિયામાં શેર કરે છે આ વાત અમારા ધ્યાને એક સમાજ સેવિકા દ્વારા આવતા અમે આ ફોટાને સર્ચ કરતાં આ ફોટો થોડાક દિવસ પહેલાનો છે અને ભુજની ખારી નદી બાજુ આવેલ એક ડેવલોપર સાઇટ પર બનાવાયેલ શિવલીંગની અતિ સુંદર મૂર્તિના દર્શન વખતે ભીડ ઉમટી પડી હતી અને એ ભીડમાં અમુક વધુ ભણેલા લોકો દ્વારા આ કૃત્ય (ભલે એમનાથી આ ભૂલથી થઈ ગયું હશે) કરાયું હતું. ચાલો નાના બાળકોને તો સમજણ નથી પણ આપણે તો મોટા છીએ, સમજદાર છીએ, આપણે પણ નાના બાળકોની જેમ નાના બનીને આ મૂર્તિ ઉપર મૂર્તિની બાજુમાં ચંપલ પહેરીને ફોટો સેશન કરાવિયે છીએ. માફ કરજો અમે અહીં ફોટો પણ બતાડયો છે જેમાં અમારો ઈરાદો કોઈને ફોટા બતાડી બદનામ કરવાનો નથી પણ શાસ્ત્રોના કહેવા પ્રમાણે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એના પ્રમાણે મંદિર મસ્જિદ કે કોઈ પણ ધાર્મિક સ્થળ પર આપણે જઈએ ત્યારે તે ધાર્મિક સ્થળોનું માન-સન્માન આપણે પોતાને રાખવું જોઈએ. જેણે આ મૂર્તિની સ્થાપના કરાવી છે કે કરી છે તેને પણ આ મૂર્તિની સાર સંભાળ રાખવી જોઈએ. એટલી સમજણ આપણને આપણા વડીલોએ આપી જ છે અને તમે પણ તમે તમારા બાળકોને સમજણ આપો જેથી આવું કૃત્ય બીજીવાર ન બને.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334