Kutch Kanoon And Crime
AnjarKutchSpecial Story

અંજાર શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા નવરાત્રી પર્વ તથા વિજયાદસમી પર્વની ઉજવણી કરવામાં આવી…

અંજાર શહેરમાં આવેલ ક્ષત્રિય સમાજ ભવન મધે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન ક્ષત્રિય સમાજના માતાઓ, બહેનો, દીકરીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રાજપુત ક્ષત્રિય સમાજને શોભે એ રીતે યુવા સભા દ્વારા નવરાત્રીનો આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના નવ દિવસ સુધી યુવા સભાના સભ્યો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.

આ સાથે વિજયાદસમીના રોજ સાંજે અંજાર શહેર તેમજ તાલુકાના ક્ષત્રિય ભાઈ બહેનો દ્વારા રાજપૂતિ પોશાક સાફા, પાઘડી, તલવાર સાથે અંજાર શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ સમાજ ભવન મધે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજના 139 તેજસ્વી તારલાઓનું ઇનામ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી દશરથસિંહ જખુભા જાડેજા પ્રમુખશ્રી અંજાર શહેર શત્રિય સમાજના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. શ્રી પરાક્રમસિંહ ઝાલા દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ક્ચ્છમાં ઓક્સીઝનની અછત વચ્ચે કોરોના સિવાયના ઓચિંતાના સારવાર માટે આવતા પેશન્ટ માટે ઓક્સીઝનની શું વ્યવસ્થા..?

Kutch Kanoon And Crime

ક્સ્ટોડીયલ ડેથ કાંડના પોલીસ કર્મચારી આરોપી ગફુરજી ઠાકોર અને GRD જવાનના 18/2 બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં લૂંટ કરનારા ભુજના બે શખ્સો અંજાર પોલીસના હાથમાં ગણત્રીના સમયમાં આવી ગયા

Kutch Kanoon And Crime

Leave a comment