Kutch Kanoon And Crime
BhujGujaratKutchSpecial Story

બળદિયા લેવા પટેલ સમાજના અગ્રણી અને જાગૃત નાગરિક કલ્યાણ જેસાણીનું અચાનક નિધન થતા શોકની લાગણી ફેલાઈ…

બળદિયા લેવા પટેલ સમાજના અગ્રણી સેવાભાવી અને જાગૃત નાગરિક એવા કલ્યાણભાઈ લાલજીભાઈ જેસાણીનું તાજેતરમાં ટૂંકી માંદગી બાદ નિધન થતા પટેલ ચોવીસીના ગામોમાં શોકની લાગણી ફેલાય છે. સદગત કલ્યાણભાઈ જેસાણી એક જાગૃત નાગરિક તરીકે બળદિયા અને આસપાસના ગામોમાં પ્રચલિત થયા હતા. કલ્યાણભાઈ ખાસ કરીને સ્થાનિક રહેતા લેવા પટેલ સમાજના પરિવારો અને વિદેશ રહેતા લેવા પટેલ સમાજના પરિવારો વચ્ચે કડી બન્યા હતા. વિદેશમાં વર્ષો સુધી રહ્યા બાદ સદગત કલ્યાણભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી બળદિયા પોતાના વતનમાં સ્થાયી થયા હતા. સદગત સમાજમાં દાતા તરીકે પણ ખૂબ મોટું નામ ધરાવતા હતા. તેઓના સંતાનોમાં બે દીકરા અને એક દીકરી છે જેઓ વિદેશ વસવાટ કરે છે. કલ્યાણભાઈ જેશાણી લોકોની, અબોલા જીવોની સેવા માટે હર હંમેશા આગળ આવતા હતા. સ્વર્ગસ્થ કલ્યાણ જેશાણીના પરિવારમાં માંતા-પિતા સ્વર્ગસ્થ કાનબાઈ લાલજી જાદવા જેશાણી, ધર્મપત્ની ધનબાઈ કલ્યાણ જેશાણી, મંજુબેન લાખાણી, પ્રવીણ અને વિજય જેશાણીના પિતાજી, કલ્યાણ લાખાણી, મૂકતા જેશાણી અને દીક્ષિત જેશાણીના સસરા, મિહિર, અંકિત, પ્રણવ અને રાહિલના દાદા તેમજ ટ્વિંકલ અને મિથીકના નાના થતા હતા. તેઓ શિવજીભાઈ, નારણભાઈ રવજીભાઈ અને નીતાબેન કાંતિભાઈ કેરાઈના ભાઈ થતા હતા. તેઓના અચાનક નિધનથી સમાજ અને મિત્રવર્તુળમાં શોકની લાંગણી ફેલાઈ છે. સ્વર્ગસ્થ કલ્યાણ જેશાણી છેલ્લા ઘણા વર્ષોથી કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ ન્યૂઝ ગ્રુપ સેવાના માધ્યમથી સાથે સંકળાયેલા હતા.

(અહેવાલ દેવચંદ્ર મકવાણા – બળદિયા)
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અબડાસાના મોટી સિંધોડી દરિયા કિનારેથી માદક પદાર્થના બે પેકેટ મળી આવતા મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢતી મુન્દ્રા પોલીસ

Kutch Kanoon And Crime

ભુજ-ભચાઉ હાઈવે પર ગમખ્વાર અકસ્માત…

Leave a comment