મુન્દ્રા તાલુકાના નાના કપાયા જિંદાલ કંપની સામે સ્થાનિક માંગ દ્વારા ચાલી રહેલા વિરોધ સામે દશેક દિવસથી ધરણા કરાય બાદ ગઈ કાલથી ધરણા કરનારાઓ દ્વારા અન્નતો ત્યાગ કરાતા આજે સવારના ભાગે અન્ન સન્ન પર બેઠેલા ધરણા કરનારાઓ પૈકી બે જણાનો તબિયત બગડતા 108 મારફતે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ખમુ આશા પાતરિયા ઉ.વ.60 અને જીવાભાઇ ગઢવી ઉ.વ. 34ને તત્કાલિસ સારવાર માટે હોસપ6 ખસેડાયા છે. છેલ્લા દસેક વર્ષથી વધુ સમયથી જિંદાલ કંપનીમાં નોકરી કરતા લોકોને હજી સુધી કંપની રોલમાં ન કરતા માજી સતપંચ અને હાલ સદસ્ય શામજીભાઈ સોઘમના નેતૃત્વમા ધરણા કરાયા બાદ ગઈ સુધી કંપની તરફથી કોઈ પણ જાતનું પ્રત્યુતર ન મળતા ધરણા કરનારાઓ દ્વારા ભૂખ હડતાલ પર બેસવાનો નિર્ણય લેવાયો હતો ત્યાર બાદ ભૂખ હડતાળને 24 કલાકનો સમય વીતતા બે જણાની તબિયત બગડતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું છે.
વધુમાં શામજીભાઈ સોઘમ દ્વારા એવું નિવેદન અપાયો હતો કે, જો અમને ભૂખ હડતાલ દરમ્યાન કઈ પણ થશે તો સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા દ્વારા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334