Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનું દુઃખદ નિધન

ક્ચ્છના મહારાવ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયા હતા અને સારવાર હેઠળ રહેલા કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા આજે જિંદગીનું જંગ હારી ગયા હતા અને આજે વહેલી સવારે દુઃખદ નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રા બપોરે રાખવામાં આવેલ છે અને સરકારશ્રીની વર્તમાન ગાઇડલાઇન પ્રમાણે અંતિમ યાત્રા કાઢવામાં આવશે આ પૂર્વે સદગતના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે બપોરે બારથી એક વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. સદગત મહારાવશ્રી કચ્છ અને કચ્છીયત માટે અંતિમ સમય સુધી સક્રિય રહ્યા હતા અને 85 વર્ષની જૈફ વયમાં તેમણે આજે અંતિમ વિદાય લીધી હતી સદગત મહારાવશ્રી છેલ્લા એક અઠવાડિયાથી સારવાર હેઠળ હતા તેમના નિધનથી સમગ્ર કચ્છમાં શોક ફેલાઈ ગયો છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના આરોપી તત્કાલીન P.I. પઢિયારના રેગ્યુલર જામીન નામંજૂર

ભાઈગીરી કરતા બે યુવાનોને મુન્દ્રા પોલીસે પકડી પાડયા

Kutch Kanoon And Crime

જમીન માપણી(DILR) કચેરીના આઉટસોર્સિંગ સર્વેયર સહિત બે ઈસમો 4 હજારની લાંચ લેતા ઝડપાયા

Kutch Kanoon And Crime

Leave a comment