હાલ કોરોના વાયરસના કહેરથી સમગ્ર વિશ્વ જ્યારે હચ મચી ગયો છે ત્યારે ભારત દેશના ગુજરાતના ક્ચ્છ જિલ્લાને જ્ન્મભૂમિ અને મુંબઇ તેમજ અલગ અલગ રાજ્યને કર્મભૂમિ બનાવનાર ક્ચ્છીઓએ કોરોના વાયરસને હરાવવા માટે પોતાની જન્મભૂમિને યાદ કરતા પોતાના માંદરે વતન તરફ એક સાથે પ્રયાણ કરતા ગાડીઓની 5 કી. મી.થી વધુ લાઈનો લાગી ગઈ હતી ત્યારે તંત્ર હકરતમાં આવી જતા તપાસ કરવા માટે પૂર્વ કચ્છના પોલીસવડા પરીક્ષિતા રાઠોડ પોલીસ અધિકારીઓ સાથે કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી ચેક પોસ્ટની મુલાકાત લીધી હતી અને મહારાષ્ટ્ર, તેમજ દેશના અલગ અલગ રાજ્યમાંથી ગુજરાત તેમજ અન્ય વિસ્તારો કે જે રેડ ઝોનમાં આવે છે તે જગ્યાએથી આવેલા લોકોની તપાસની જાત માહિતી માટે મુલાકાત લીધી હતી તો SP પરિક્ષિતા રાઠોડ અને ટિમ દ્વારા બહાર ગામથી આવતા વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું ત્યારે કચ્છમાં આવનાર દરેકની પરમીશન છે કે શું અને કોઈ કોરોના વાયરસના સંક્રમણનો શિકાર છે કે નહીં, તે અંગેની તપાસ કરવા માટે સ્ટાફને સુચના આપી હતી.
નિતેશ ગોર – 9825842334
દિનેશ જોગી અંજાર દ્વારા