Kutch Kanoon And Crime
ReligiousGandhidhamKutch

અંજારના રસોઈયા ભાઈઓની અનોખી સેવા

લોકડાઉનના અનુસંધાને શહેરમાં દરરોજ અંદાજે 200 જેટલા લોકોને બે સમયે ભોજન અને ચાનો અનોખો સેવાયજ્ઞ અંજાર ગાયત્રી મંદિર ચાર રસ્તાના રસોયા ભાઈઓ તરફથી કરવામાં આવ્યું છે,જેમાં જયંતીલાલ માદેવાભાઈ નાથણી, કમલેશભાઈ સોલંકી, પ્રેમભાઈ પુરોહિત, રાજુભાઇ રાજપૂત (નેપાળી), બળવંતભાઈ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ આ રસોડાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સોશ્યિલ ડિસ્ટનસીના ભાગરૂપે દરરોજ બે જણા જુદા જુદા વિસ્તારોમાં જઈ સરકારી તમામ કચેરીઓ પેરામેડીકલ સ્ટાફને ચા-પાણીની વ્યવસ્થાની સેવા આપે છે સાથે-સાથે ભોજનની પર સેવા આપવામાં આવે છે.આ સાથે રાજેશભાઈ પુરોહિત, ભરતભાઈ ચાવડા, કેતનભાઇ પ્રજાપતિ, બળદેવભાઈ પુરોહિત, ધર્મેશભાઈ સોની, સતિષભાઈ ગેહલોત, પોતાની અમૂલ્ય સેવા આપે છે. ગુજરાત યુવા મંચની ટીમે આ સેવાને બિરદાવી છે અને તેઓની સંસ્થાની મુલાકાત લઇ તેઓને અભિનંદન પાઠવ્યા છે તેમજ રસોડાની મુલાકાત દરમિયાન ખૂબ જ સ્વચ્છતા જોવા મળી હતી.જેથી ગુજરાત યુવા મંચે તમામ કાર્યકર મીત્રોને ધન્યવાદ આપ્યા હતાં. લોકડાઉનના ભાગરૂપે અત્યારે તમામ નિયમોનું ચુસ્ત પાલન ટીમ દ્વારા કરવામાં આવે છે.

નિતેશ ગોર – 9825842334
(રાજેશ રાઠોડ દ્વારા)

Related posts

કચ્છીઆેએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખોબા ભરીને મત આપ્યા છતાં નર્મદાના નીર પ્રશ્ને કચ્છની મજાક ઉડાવાઇ : પૂર્વ રાજ્યમંત્રીશ્રી તારાચંદભાઈ છેડા

અબડાસાના મોટી સિંધોડી દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના વધુ 20 પેકેટ મળ્યા

Kutch Kanoon And Crime

ભુજના સંસ્કાર નગર વિસ્તારમાં ફાયરિંગ કરીને ATMમાંથી લૂંટનો પ્રયાસ કરનાર એક આરોપી પકડાઈ ગયો

Leave a comment