કચ્છ: તંત્ર દ્વારા આવતીકાલથી સુધારેલ જાહેરનામું અમલમાં મુકવામાં આવ્યું છે, તંત્ર દ્વારા આવતી કાલથી એકદમ કડક જાહેરનામું આવું છે કે સવારના 7 વાગ્યા થી બપોરના 12 વાગ્યા સુધી જ પ્રજાને બહાર જરૂરી કામ માટે નીકળવાની છુટ મળી છે, તેમાં તમે અતિ આવશ્યક કામ અને ચીજ વસ્તુઓ લેવા માટે જ ઘરથી બહાર જઈ શકો છો અને બહાર જાઓ તો સોસિયલ ડિસ્ટન્સીનું પાલન તમને કરવું જ પડશે તેવું સમહર્તા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
હાલના સમયમાં કોરોના વાયરસને ધ્યાને સમગ્ર ભારત દેશ લોકડાઉન થઈ ગયું છે ત્યારે પબ્લિક દ્વારા કામ વગરના બહાના બનાવી સતત બહાર અવર જવર કરતા હોય તેવું તંત્રને ધ્યાને જતા જ તંત્રએ લોકડાઉનની કડક અમલવારી થાય તે માટે આવતીકાલથી એકદમ કડક જેને કહેવાય તેવું જહેરનામું બહાર પાડ્યું છે, જેનું અગર પ્રજા અમલ નહીં કરે તો બહાર નિકળનાર પર ભારેથી અતિ ભારે કલમો તળે ગુનો દાખલ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.જેમાં વધુમાં આપ ટુ-વ્હીલરમાં એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ત્રણ જ વ્યક્તિઓ સવારી કરી શકે છે જેની પણ નોંધ લેશો.
નિતેશ ગોર – 9825842334