Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

ભારતીય સેનાના ગરુડ જવાનો વાવાઝોડાની સંભવત ભયાનકતાના પગલે કચ્છમાં ઉતારાયા

સામાન્ય રીતે આતંકી હુમલા તેવી ઘટનાઓ માટે સતર્ક રખાતા ભારતીય સેનાના ગરુડ જવાનોની એક કંપની કચ્છમાં વાવાઝોડાની ભયાનકતાને ધ્યાનમાં લઇ ઉતારાઇ છે. ભુજ ખાતે પહોંચી આવેલ ભારતીય સેનાના ગરુડ જવાનોની ટીમની કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવીયાએ મુલાકાત લીધી હતી અને સંભવત વાવાઝોડા સામે લોકોની જાનમાલને બચાવવા માટેની ગરુડ જવાનોની ટીમની તૈયારીને બિરદાવી હતી. સામાન્ય રીતે આતંકવાદી હુમલા થતા હોય ત્યારે અથવા તાજેતરમાં કર્ણાટકમાં ત્રણ ટ્રેનોના અકસ્માત જેવી ગંભીર ઘટનાઓ વખતે ગરુડ જવાનોની મદદ લેવાતી હોય છે કે જેઓ કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને બચાવવા સક્ષમ છે એ ગરુડ જવાનોની ટીમને કચ્છમાં ઉતારાઇ છે એ સૂચવે છે કે સંભવત વાવાઝોડું કેટલું ખતરનાક હશે. જોકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વાવાઝોડાને લઈને કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી એટલે ગરુડ કમાન્ડોની મદદ લેવાઇ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેના વિવાદ મામલે કચ્છમાં સ્વેચ્છીક રીતે રાજકીય હોદ્દાનું પહેલું બલિદાન…

Kutch Kanoon And Crime

કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનું દુઃખદ નિધન

મુન્દ્રામાં પરપ્રાતીય યુવાનને છરીના ઘા ઝીંકીને મોતના ઘાટ ઉતારનાર હત્યારો ઝડપાયો

Kutch Kanoon And Crime

Leave a comment