માંડવી બીચ પર ઘોડા ચલાવી રોજગારી મેળવતા મસ્કાના અબુભખર ઇશાક સુમરા નામના આધેડ વયનો ઈસમ આજે વીજ થાંભલા પર ગળેફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ શ્રમજીવી છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે સતત લોકડાઉનમાં રહેતા બેરોજગાર બની ગયો હતો અધૂરામાં પૂરું તેને કોઈ બીમારી લાગુ પડતા જેના કારણે તેને ગુજરાત ચલાવવું અને જીવવું દુષ્કર બની જતા ઘળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની શક્યતા જોવાઇ છે. જોકે વીજ થાંભલા પર ગળેફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવેલા શખ્સના એક પગમાં ચપ્પલ છે જ્યારે બીજી ચપ્પલ નીચે પડેલી છે તેથી આ ઘટના આત્માહત્યા છે કે બીજું કંઇ તે અંગે પણ તપાસ જરૂરી બની છે કારણકે ગળેફાંસો ખાતી વખતે વ્યક્તિ પગ છુટા હોય તો તે ખૂબ હલાવતો હોય છે ત્યારે બંને પગમાંથી ચપ્પલ નીચે પડી જવા જોઈએ પરંતુ આ ઘટનામાં એવું નથી બન્યું જે સૂચક છે..
અહેવાલ : સુનિલ મોતા માંડવી
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334