વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 15 અને ૧૬મી ડિસેમ્બરે કચ્છના બે દિવસના પ્રવાસે આવી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માંડવી ખાતે દરિયાના ખારા પાણીમાંથી મીઠા પાણીના રૂપાંતર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે અને ત્યારબાદ બીજા દિવસે ખાવડા નજીક નવા અૌધોગિક એકમનું ખાત મુહૂર્ત કરશે તેવી શક્યતા છે આ બે દિવસના પ્રવાસ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદી ધોરડો ખાતે ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરશે તેવી શક્યતા પણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યાના સમાચાર મળતા સ્થાનિક તંત્ર પણ શ્રી મોદીના બંદોબસ્તથી લઈને કાર્યક્રમોની રૂપરેખામાં લાગી ગયું છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334