કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ જ્યારે પીડાઈ રહ્યું છે ત્યારે આવા ભયંકર કોરોના વાયરસથી બચવા માટે ભારતદેશે સમગ્ર ભારતને લોકડાઉન કરી નાખ્યું છે ત્યારે હાલના ભારતમાં કોરોના વાયરસના આંકડાઓ વધી રહ્યા છે તેને ધ્યાને રાખી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના સંબોધનમાં 3 મેં સુધી લંબાવવાનું નિર્ણય લેવાયું. અત્યારે આ લોકડાઉનનું પાલન સમગ્ર ભારતની જનતાને ચુસ્ત પણે કરવું પડશે. વધુમાં સરકાર દ્વારા અમુક આવશ્યક ચીજ વસ્તુઓ માટેની છૂટ છાટ આપવાનું નિર્ણય લેવાશે તેમાં પણ શરતોને ધ્યાને આવી આવશ્યક ચીજ વસ્તુઓની મંજૂરી આપશે તેવુ પણ વડાપ્રધાનના સંબોધનમાં જણાવ્યું છે. સરકાર દ્વારા એક ગાઈડ લાઇન દેવામાં આવશે જેમાં શરતોને નજર સમક્ષ રાખી અમુક આવશ્યક ચીજવસ્તુઓ અને જીવન જરૂરી છુટ છાટ આપવામાં આવશે તેવું સંબોધનમાં જણાવ્યું છે.
નિતેશ ગોર – 9825842334