બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે BAPS સંસ્થાના પ્રમુખ મહંત સ્વામીની પ્રેરણાથી આજે કચ્છની વિવિધ હોસ્પિટલોને કોરોના દર્દીઓની સારવાર માટે 17 કોન્સ્ટન્ટેટર ઓક્સીઝન મશીન અપાયા હતા.
ભુજ મંદિર ખાતે યોજાયેલ એક સમારંભમાં કચ્છના સાંસદશ્રી વિનોદ ચાવડા અને ભુજના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિમાં કોઠારી સ્વામી શ્રી વિવેક મંગલ સ્વામીના હસ્તે અલગ અલગ ૧૭ જેટલા ઑક્સિઝન મસીન હોસ્પિટલોને ભેટ અપાયા હતા.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334