નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ અને સુખસાણ ગામ વચ્ચેની સીમમાંથી જમીનમાં દટાયેલી એક યુવાનની લાશ મળી આવી હતી ભુજ નજીકના માધાપર ગામના રાજેશ કોળી નામના યુવાનની લાશ હોવાનું સ્પષ્ટ થયું છે નખત્રાણા પી.આઈ બી.જી. ભરવાડના જણાવ્યા પ્રમાણે મરણ જનાર રાજેશ અહીં ખેતી કામમાં મજૂરી કરતો હતો તેની લાશ દટાયેલી હાલતમાં મળી આવતા મરણ જનારની હત્યા થયાની શંકા છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખરી હકીકત સ્પષ્ટ થશે દરમિયાન મળતી માહિતી પ્રમાણે ખેત મજૂરી કરતા ૨૮ વર્ષીય આ યુવાનની પત્નીનું થોડા સમય અગાઉ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયેલું છે તો એવી પણ એક હકીકત ચર્ચામાં આવી છે કે આ યુવાન પ્રેમ પ્રકરણમાં વિવાદમાં આવ્યો હતો અને તેની પ્રણય ત્રિકોણ આ મામલે હત્યા થયાની શક્યતા જોવાઇ રહી છે જોકે હાલ તુરંત મોતનું કારણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આ મામલે સચોટ હકીકત સ્પષ્ટ થતી નથી પરંતુ મરણ જનારની લાસ દટાયેલી હોય તેની હત્યા થયાની શક્યતા નકારાતી નથી.
નિતેશ ગોર : 9825842334