Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

અબડાસાના મુઠીયાર ગામના ક્ષત્રિય પરિવારને રૂપિયા ૧ થી ૧૦ લાખની લાલચ સાથે ધર્મ પરિવર્તન કરવા અજ્ઞાત વ્યક્તિ દ્વારા પત્ર પાઠવાયો

 


સરહદી અબડાસાના ગરડા પંથકમાં આવેલ મુઠીયાર ગામના એક ક્ષત્રિય પરિવારને રૂપિયા ૧ થી ૧૦ લાખની લાલચ સાથે ધર્મ પરીવર્તન કરવા માટે પ્રેરિત કરતો એક પત્ર પોસ્ટ ખાતા દ્વારા મળતા હડકંપ મચી ગયો છે. અબડાસાના મુઠીયાર ગામના કરસનજી દેશરજી બારાચ નલિયા પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ SP અને રાજ્યના ગૃહમંત્રીને તાત્કાલિક અસરથી પાઠવેલા પત્રમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે ગત 29 એપ્રિલના રોજ તેમને એક ટપાલ મારફત પત્ર મળ્યો છે જેમાં એમને પોતાનું ધર્મ પરિવર્તન કરી કાસમ છા નામ રાખવાની ભલામણ સાથે રૂપિયા ૧ થી ૧૦ લાખની સહાયની લાલચ પણ અપાઈ છે અને આ રકમ માટે રામપર અબડા જમાતનો સંપર્ક કરવા પત્રમાં જણાવાયું છે અને તેમાં મોબાઇલ નંબર 40893 95800 સંપર્ક માટે અપાયા છે આ ઘટનાએ અબડાસા પંથકમાં સનસનાટી મચાવી દીધી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

નલિયામાં આખલાઓની લડાઈમાં એક વૃદ્ધ ઘાયલ….

વાગડ વિસ્તારમાં ચકચાર મચાવનાર હમીરપર હત્યા કેસમાં વિધ્વાન વકીલ હેતલકુમાર સોનપાર અને વિનોદ મકવાણાની ધારદાર દલીલો કામે લાગી : એકના જામીન મંજુર

Kutch Kanoon And Crime

નલિયા – તેરા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત : એક ઘાયલ

Leave a comment