Kutch Kanoon And Crime
IndiaInternationalSpecial Story

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા વાર્ષિક ટ્રેડ મીટ-2021નું આયોજન કરવામાં આવ્યું

◆ કચ્છના પોર્ટ અને શિપિંગ ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા એકમોના પ્રતિનિધિઓએ આપી હાજરી…

◆ દુનિયાનો 90 ટકા ટ્રેડ દરિયાઈ માર્ગે થાય છે…

◆ ભારતની મુખ્ય ઓઈલ કંપનીઓના પ્રતિનિધિઓએ બેઠકમાં હાજરી આપી….

◆ દેશની અર્થવ્યવસ્થામાં બંદરી સેવાઓ એક અજોડ ભાગ ભજવે છે….

◆ અદાણી પોર્ટસ માટે સેફટી, પરફોર્મન્સ અને એફિસિઅન્સી મહત્વના મુદ્દાઓ જે મુખ્ય મુદ્દાઓની ચર્ચા થઈ તેમાં વ્યાપાર સંબંધી બહુપક્ષીય ફોરમમાં સહયોગ, પર્યાવરણલક્ષી અગ્રતાઓ હલ કરવી, તમામને માટે સહાયક બને તેવી ડિજિટલ વ્યવસ્થા અને વ્યાપાર માટે સુગમતાનો સમાવેશ થયો હતો…

અદાણી APSEZના ઉપક્રમે ટ્રેડ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ટર્નલ APSEZ (મુંદ્રા અને) મેનેજમેન્ટ, APSEZના બિઝનેસ પાર્ટનર્સ, આઈ.આર.એસ. સર્વેયર્સ, ઈન્ડીયન કોસ્ટગાર્ડના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન મિત્તલ એનર્જી લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જેવી કંપનીઓના પ્રતિનિધિઓ અને APSEZ મરીન સાથે રજીસ્ટર્ડ તમામ એજન્સીઓના પ્રતિનિધિઓ તથા મુંદ્રા પોર્ટ શિપિંગ એસોસિએશનના સભ્યો આ બેઠકમાં હાજર રહયા હતા. એમ.એમ.ડી કંડલાના પ્રિન્સિપલ ઓફિસરે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. પોર્ટ સાથે 120થી વધુ શિપિંગ એજન્સીઓ રજીસ્ટર્ડ થયેલી છે. વાર્ષિક ટ્રેડ મીટનું આયોજન સૌ પ્રથમ વખત વર્ષ 2011માં કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ દર વર્ષે ટ્રેડની અપેક્ષાઓ શું છે તથા સૂચનો પર વિચાર વિમર્શ કરવા અને વ્યાપારી સંબંધો મજબૂત કરવા માટે દર વર્ષે વાર્ષિક ટ્રેડ મીટનું આયોજન કરવામાં આવે છે. છેલ્લી ટ્રેડ મીટ વર્ષ 2019માં યોજાઈ હતી, પણ વર્ષ 2020માં આ બેઠક કોવિડને કારણે યોજી શકાઈ ન હતી.

આ પ્રસંગે અદાણી પોર્ટસના ચીફ ઓપરેટિંગ ઓફિસર, ચાર્લ્સ ડગ્લાસ સ્મિથએ જણાવ્યું હતું કે અદાણી પોર્ટસની સેવાઓ વિષે જે પણ કઈ ચર્ચા થઇ અને તેને બિરદાવમાં આવી તેનો સહર્ષ સ્વીકાર કરતા કહ્યું હતું કે આપ સૌના સાથ – સહકાર વગર આ શક્ય ના હતું. તેમને કહ્યું હતું કે આપ સૌના સહકાર થકી જ અદાણી પોર્ટસ બંદરીય ક્ષેત્રમાં સિદ્ધઓ હાંસલ કરી રહ્યું છે. અદાણી પોર્ટસમાં વિશ્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કરતા તેમને કહ્યું કે કોવીડ મહામારીમાં અવિરત બંદરીય સેવાઓ આપ સૌના સહકારથી જ ચાલુ રાખી શક્યા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અદાણી પોર્ટસ માટે સેફટી, પરફોર્મન્સ અને એફિસિઅન્સી મહત્વના મુદ્દાઓ છે. આ ત્રણે મુદ્દાઓમાં સેફટી અદાણી પોર્ટસ માટે સર્વોપરી છે. અત્રે કામ કરતા સર્વે કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો, કસ્ટમરો, ડ્રાઈવરો અને અન્ય બધા જ સાંકળયેલા લોકોની સેફટી માટે અમે ગંભીર છે. અદાણી પોર્ટસ સેફટી બાબતે કોઈ બાંધછોડ કરતુ નથી.

કોરોના કાળ દરમ્યાન શિપિંગ અને પોર્ટ ઉદ્યોગને જે અસર થઇ હતી અને હવે જયારે વેપાર અને ઉદ્યોગો ફરી ધમધમતા થયા છે જયારે આવનારા સમયમાં માંગને પહોંચી વળવા સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ એકસુર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોરીનાની રસીકરણ ડ્રાઈવમાં અદાણી પોર્ટસ દ્વારા કર્મચારીઓ સાથે સાથે કોન્ટ્રાક વર્કરોને પણ રસી આપવામાં આવી હતી, જેથી બંદરીય કામગીરીને અસરના પહોંચે.

◆ રાકેશ મોહન, ચીફ ઓપરેટિંગ ઓફિસરે આ પ્રસંગે કહ્યું હતું કે આપણે સૌ સર્વિસ બિઝનેસમાં છે, ઉત્પાદન ક્ષેત્ર માટે, માર્કેટ્સ માટે, વપરાશકારો માટે આપણે એક બ્રિજ સમાન છે અહીં આપણે સૌએ સતત કાર્યશીલ રેહવું અનિવાર્ય છે. દુનિયાનો 90 ટકા ટ્રેડ દરિયાઈ માર્ગે થાય છે અને દેશની અર્થવ્યવસ્થામાં પણ આપણી સેવાઓ એક અજોડ ભાગ ભજવે છે. આજે અદાણી પોર્ટસ દુનિયાના સર્વશ્રેષ્ટ 30 પોર્ટમાં સમાવિષ્ટ થાય છે, નેશન બિલ્ડિંગની ભાવના સાથે ઉત્કૃષ્ટ સેવાઓ આપવા હંમેશા અદાણી પોર્ટસ પ્રયત્નશીલ રહેશે. આ વર્ષે યોજાયેલી બેઠકમાં જે મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમાં બહુપક્ષિય ટ્રેડ રિલેટેડ ફોરમ, પર્યાવરણ સંબંધિ અગ્રતાઓ હલ કરવા અંગે તથા તમામને માટે સહાયકારી ડિજીટલ વ્યવસ્થા તથા વ્યાપારમાં સુગમતા જેવા તથા અન્ય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

◆ સાથિયાન પટીમપુલ્લી, પ્રેસિડેન્ટ, મુન્દ્રા શિપિંગ એજન્ટ એસોસિએશન આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે વિશ્વકક્ષાનું પોર્ટ ઇન્ફાસ્ટ્રકચર કચ્છના વિસ્તારમાં ઉભું કરવા બદલ આભાર માનતા કહ્યું હતું કે અદાણી પોર્ટ દ્વારા કસ્ટમર સર્વિસ પર પ્રાથમિકતા આપવામાં આવે છે, ખાસ જરૂરિયાત પર તુરંત નિરાકરણ લાવી ઉત્કૃષ્ટ સેવાઓ આપવામાં આવે છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો, અને આવનારા સમયમાં પણ અદાણી પોર્ટ તરફથી સહકાર મળતો રહેશે એવી આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ચર્ચા કરેલ સર્વે મુદ્દાઓમાં વધુ આગળ વધી શકાય તે માટે તમામને સ્પર્શતા વ્યાપક મુદ્દાઓના એજન્ડા તથા વેપારના દ્વિપક્ષી મુદ્દાઓ અંગે હવે પછી સમયાંતરે બેઠકો યોજાશે. APSEZ તેના સહયોગીઓ અને એજન્સીઓ સાથે બિઝનેસમાં ટ્રેડ પોલિસી શું યોગદાન આપી શકે તે અંગે પણ અભિપ્રાયો વ્યક્ત કરાશે.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અંગે… અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (APSEZ) એ વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અને એક પોર્ટ કંપનીમાંથી વૃધ્ધિ પામીને ભારતનું પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનેલા અદાણી જૂથનો હિસ્સો છે. તે વ્યૂહાત્મક સ્થળે આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, કંડલા અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મોગોવા, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ તથા ચેન્નાઈમાં કટુપલ્લી અને એનરોલ તથા આંધ્ર પ્રદેશમાં ક્રિશ્નાપટનમ સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે ભારતનું સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતાના 24 ટકા કાર્ગોનું સંચાલન કરે છે. સાગરકાંઠાના વિસ્તારો તથા વ્યાપર હિંટરલેન્ડમાંથી જંગી જથ્થામાં માલ-સામાનનું હેન્ડલીંગ કરે છે. કંપની વિઝીનજામ, કેરાલામાં ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ ટર્મિનલ પણ વિકસાવી રહી છે. અમારા “પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ” માં પોર્ટસ ફેસિલીટીઝ, ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ કેપેબિલીટીઝ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન અમને અમને વિશ્વકક્ષાએ મૂકે છે, જેના કારણે ભારતને ગ્લોબલ સપ્લાય ચેઈનનો લાભ મળે થાય છે. અમારૂં વિઝન આગામી દાયકામાં વિશ્વનું સૌથી મોટું લોજીસ્ટીક પ્લેટફોર્મ બનવાનો છે. વર્ષ 2025માં કાર્બન ન્યુટ્રલ બનવાના વિઝન સાથે APSEZ દ્વારા ભારતમાં સૌ પ્રથમ અને વિશ્વમાં ત્રીજા સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનો લક્ષ્યાંક ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલ્સના 1.5°C સુધી નિયંત્રિત રાખવાનો છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અંજાર પોલીસ અપરાધિઓને પકડવા સાથે માનવતા પણ મહેકાવે છે અજાણી લાશની આજે અંતિમવિધિ કરાશે : P.I. રાણા

અબડાસા પેટા ચૂંટણી આગામી તારીખ 22’થી રંગ પકડશે

Kutch Kanoon And Crime

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની હત્યાના આરોપી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને છ દિવસના જામીન મળ્યા.

Kutch Kanoon And Crime

Leave a comment