જિલ્લામાં અને ખાસ કરીને વાગડ પંથકમાં ચકચાર મચાવનાર માનફરા ખૂન કેસ ખુબજ ચર્ચામા રહ્યો હતો ત્યારે તે કેસમાં આજ રોજ જે આરોપીએ કાવતરું ઘડયું હતું તે નાનજી કાના કોળીની રેગ્યુલર જામીન અરજી આજે ભચાઉ કોર્ટે બીજી વખત પણ ફગાવી દીધી છે. આ કેસમાં ધારદાર દલીલો કરનાર સરકારી વકીલ ડી.બી. જોગીની મુદાવાળી રજૂઆતો સાથે આ કેસના મૂળ ફરિયાદી ભવાનભાઈ ખીમાભાઇ કોળીની વાંધા અરજીઓના ધ્યાને આજ રોજ જામીન અરજી કેન્સલ થઈ છે. આ કેસની હકીકત એવી છે કે તા.14/02/2020 ના રોજ મનફરા ગામે પાંચ જણાઓ (1)નાગજી કોળી (2)રામસી કોળી (3)મોહન રવા (4)નાનજી કાના (હાલનો અરજદાર) (5) દિલીપ દેવસી કોળી વગેરેએ મળીને મનફરા ગામના રહેવાસી ખીમાભાઇની કરપીણ હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ અરજદાર/આરોપી નાનજી કાનાભાઈ કોળી અને મોહન રવા કોળીએ મરણજનાર ખીમાભાઈને પકડી રાખેલ અને નાગજી કોળી તથા રામસી કોળી એ ઉપરા ઉપર તિક્ષણ હથિયારના ઘા ધા નાખી હત્યાને અંજામ આપેલ હતું. આ હત્યાન થઈ ત્યારે કુલ 4 જણાએ નજરે જોયુ હતું જેમાં 4 માંથી 3 નાના સગીર વયના બાળકો હતા. તો આ હત્યા અગાઉ થયેલ નટુ રવા કોળીના ખૂન નું મન દુઃખ રાખી કરવામાં આવેલ હતી. તેવી ફરિયાદ ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને ધ્યાને કેસમાં સરકારી વકીલ ડી.બી. જોગીની ધારદાર દલીલોમાં ખાસ ટાંકીને વારે ઘડીએ જણાવેલ કે અરજદાર/આરોપીએ મરણજનારને પકડી રાખેલ જેના કારણે મરણ જનાર પોતાનો બચાવ કરવાનામાં નિષ્ફળ રહેલ જેથી અરજદાર/આરોપીનો રોલ પણ મહત્વનો જ ગણાય છે. વધુમાં અરજદાર આરોપીને પોલીસ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવેલ હતો. ત્યારે આ અરજદાર/આરોપી ખૂન કરી નાસ્તો ભાગતો ફરતો હતો અને તેને લગભગ 80 દિવસ પછી ભચાઉ પોલીસની મહા મહેનતે હાથમાં આવેલ છે આ આરોપી જયારે ફરાર હતો તે સમયે બહાર રહી ફરિયાદીને ધાક ધમકી આપતો હતો જેની 2 વખત ફરિયાદી ભવાન ખીમા કોળી દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશન મધ્યે અલગથી એક ફરિયાદ પણ કરેલ છે અને આ સંજોગોમાં આરોપીને જો જામીન મુક્ત કરવામાં આવશે તો તે ફરી ભાગી જશે અને પોલીસના હાથમાં નહી આવે જેના કારણે કેસ ચલાવવામાં વિલંબ થશે અને ફરિયાદીને ન્યાય નહી મળે. વધુમાં આ કેસમા મરણજનારની હત્યાને અંજામ આપતા ત્યારે કુલ 4 નજરે જોનાર સાક્ષીઓ છે જેમાં 3 સગીર વયના નાના બાળકો છે અને અરજદાર/આરોપી વિરુદ્ધ સજા કરવા માટે સીધો અને ફિટ કેસ છે જેથી જામીન અરજી રદ કરવામ આવે. જેના સંદર્ભમાં નામદાર કોર્ટે ડી.બી. જોગીની ધારદાર અને સચોટ દલીલોને ગ્રાહ્ય રાખી અરજદાર/આરોપીની રેગ્યુલર જામીન અરજી બીજી વખત નામંજૂર કરેલ છે. વધુમાં સરકારી વકીલ ડી.બી જોગીની જો વાત કરવામાં આવે તો ભચાઉ અને રાપર તાલુકામા જ્યાં અત્યંત ગંભીર પ્રકારના ગુનાઓ અને ગુનેગારોનું પ્રમાણ ખુબ વધુ છે જ્યાં ગુનાઓનો ગમે ત્યારે બની શકે છે એટલે કે જેને વાગડ વિસ્તાર આવા સેન્સેટિવ જોનમાં તેઓ ખુબ જ જવાબદારી પૂર્વક ફરજ અદા કરી રહ્યા છે તેઓ સરકારશ્રીના હોદાને શોભે તેવા કર્યો કરે છે હાલ કોરોના વાઇરસ મહામારીને કારણે જયારે સમગ્ર ભારતભરમાં લોકડાઉન ચાલી રહેલ છે પરંતુ કૉર્ટના અર્જન્ટ કેસો ચાલુમાં છે આવા કોવીડ-19 મહામારીના સમયમાં સરકારી વકીલ શ્રી ડી. બી. જોગી પોતાની ફરજ દિવસ-રાત જોયા વગર લોકોને ન્યાય અપાવવા ખડે પગે ઉભા રહે છે. આપણે પોલીસ પ્રસાસન, ડૉક્ટરને તો કોરોના વોરિયર્સ તરીકે ઓળખીયે છીએ પરંતુ ખરેખર સરકારી વકીલ જેઓ અવ કપરા સમયમાં પણ પોતાની ફરજ અદા કરે છે તેવા વકીલશ્રીઓ જેમાં સરકારી વકીલો મોખરાનું સ્થાન ધરાવે છે તો ડી.બી.જોગીની કામગીરી પણ પ્રશંસાને પાત્ર છે આવા સમય જૉ લોકો માટે ખડેપગે ઉભું રહે તો તેને કોરોના વોરિયર્સ જ કહેવાય.
અહેવાલ : દિનેશ જોગી – અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334