જયઘોષ ના શંખનાદ અને આરતી સાથે ઠાકોરધણી ઘનશ્યામ મહારાજ અને વૃંદાવન વિહારી ના દ્વાર જનહિત લોક કલ્યાણ અર્થે સરકારશ્રી ની ગાઈડ લાઈન્સ ને નજર સમક્ષ રાખી ભાવિકો માટે આજરોજ ખોલવામાં આવતા દશઁન કરી ભાવિકો ભાવવિભોર થયા હતા.
સવારે મંગળા આરતી બાદ મંદિર મા બિરાજમાન દેવો નો કેશર જળ થી અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ કેરીઓના અનકુટ દેવોને ધરાવવામાં આવ્યા હતા. વિશ્વ લેવલે કોરોના સંક્રમણ થી દેશ અને દુનિયા ના લોકો ત્રાહિમામ છે ત્યારે આ માહમારી થી લોકો ને મુકિત મળે તેવા શુભ આસ્ય થી વૈશ્વિક શાંતિદા મહાયજ્ઞ નો પ્રારંભ વહેલી સવારે માંડવી સ્વામિનારાયણ મંદીર મધ્યે કરવામાં આવ્યું હતું હરિભકતો માટે મુખ્યદ્રાર નું દશઁનથેઁ પુન પ્રવેશ દ્વાર પાસે વિધિવત મંત્રોઉચાર પુજન સાથે દીપ પ્રાગટય માંડવી મંદિરના મહંત સ્વામી સદ ગુરુશ્રી. દેવપ્રકાસદાસજી, સ્વામી અક્ષરપ્રકાસદાસજી , સ્વામી શ્રી. જ્ઞાનપ્રકાસદાસજી, માંડવીના ધારાસભ્ય શ્રી. વિરેન્દ્રસિંહજી જાડેજા, ભાજપ પૂવઁ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદીના વરદ્હસ્તે પ્રવેશદ્રાર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
કોરોનોની માહમારી વચ્ચે લોકો ઉપયોગી થવાની ભાવના સાથે નિષ્ઠા પૂવઁક ફરજ બજાવતા જુદા જુદા ઓફિસરો તેમજ પોલિસ ઓફિસરો તથા મહાનુભાવો ને સન્માનિત કરી સન્માન પત્ર સાથે આરોગ્યલક્ષી કીટનું વિતરણ માંડવી વિસ્તારના ધારાસભ્યશ્રી, ભાજપ પૂવઁ પ્રમુખ તથા મંદિરના મહંત શ્રીના વરદ્હસ્તે સન્માનિત મહાનુભાવોમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ શાહ, મામલતદાર શ્રી ડાંગી સાહેબ, પી. આઈ શ્રી. ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી શ્રી. પી.કે સ્વણકર, માંડવી સિવીલ હોસ્પિટલના ડોકટર શ્રી. પાસવાન તથા ડો. રાય, ડેવલપમેન્ટ ઓફીસર શ્રી. ગોહિલ સાહેબ, નાયબ મામલતદાર શ્રી. યુવરાજસિંહ ગોહિલ, કારોબારી ચેરમેન દિનેશભાઈ હિરાણી , સિનીયર હેડ કાનજીભાઈ શિરેખા, માંડવી ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ દવે તેમજ યજમાન શ્રી પ્રેમજી મનજી હિરાણી, માવજી લાલજી વેકરીયા તથા કરશન લાલજી વેકરીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે વિશેષ સન્માનિત મહાનુભાવો માં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા શ્રી દિલીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જયારે જયારે કચ્છમા કુદરતી આફતો કે કપરી પરિસ્થિતિઓ ઉત્પન થાય છે ત્યારે કચ્છ શ્રી નરનારાયણ દેવ તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિરો સરકાર શ્રી અને લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે સરસ સેવાકીય કાર્ય કરી સરકાર અને લોકોને આવી સેવાઓનું યોગદાન આપતા રહે છે. ૭૫ દિવસ બાદ ભગવાનશ્રીના પુષ્પપુજન દશઁન કરવા માંડવી તેમજ આસપાસના ગામડા ના લોકો મોટી સંખ્યામાં સરકારશ્રીની તમામ ગાઇડલાઇન સાથે આવતા – જતા નજરે પડતા હતા. આ કાયઁક્રમના આયોજનમા માંડવી મંદિરના કોઠારી અરજણભાઈ રવજી હાલાઇ તથા હરજી ગાંગજી વેકરીયા, મંદિરના સાંખ્યયોગી બહેનો, કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક તેમજ મહિલા મંડળ ની બહેનો એ જહેમત ઉઠાવી હતી.
નિતેશ ગોર – 9825842334