Kutch Kanoon And Crime
GujaratGandhidhamKutchSpecial Story

કંડલા ઝુપડપટ્ટી વિસ્તારમાંથી લોકો હિજરત કરી જતા નિરાધાર બનેલ પશુઓની વહારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થા આવી

વાવાઝોડાની આશંકાના પગલે ઝુપડપટ્ટી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા બાદ પાલતુ પ્રાણીઓ એટલે કે ગાયો ભેંસો વગેરે નિરાધાર બની જતા, કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થતા સેવાભાવી તેજાભાઈ કાનગડ સહિતના અગ્રણીઓ આગળ આવ્યા…

સંભવિત વાવાઝોડાની ભયાનક આશંકાના પગલે ગઈકાલે કંડલા પોર્ટ ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને ઝુપડપટી વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા બાદ આ વિસ્તારમાં રહેતા લોકોના પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, બકરી વગેરે નિરાધાર બની ગયા હતા. આ અંગે કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ ન્યૂઝ ચેનલમાં સતસ્વીર અહેવાલ પ્રસારિત થતા અનેક સેવાભાવીઆેના હૃદય દ્રવી ઊઠ્યા હતા અને સૌ પ્રથમ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગડ ચેમ્બર્સ ઓફ કોમર્સના માધ્યમથી આગળ આવ્યા હતા અને આ વિસ્તારમાં નિરાધાર છોડી દેવાયેલ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. એ રીતે અહીં નોંધારા છોડી દેવાયેલ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા થતા અબોલા જીવોના જીવમાં જીવ આવ્યો છે હજુ આ વિસ્તારમાં કુતરાઓ બિલાડા ઉપરાંત બકરીઓ પણ નિરાધાર હાલતમાં જોવા મળે છે તેમના માટે પણ જીવદયા પ્રેમીઓ આગળ આવે એવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે અખંડ ભારતના પ્રતીક સમાન “સરદાર સ્મૃતિ વન”નું લોકાર્પણ કર્યું…

Kutch Kanoon And Crime

ડોમ્બિવાલી વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં જાગૃતિ કાર્યક્રમ : વિદ્યાર્થીઓ અને જનતાને સાયબર ફ્રોડથી બચવા માર્ગદર્શન અપાયું…

Kutch Kanoon And Crime

કચ્છમાં ધો.12 સાયન્સ પ્રવાહનું 74.69% પરિણામ: 1.76% ઘટાડો: કચ્છે A1 ગ્રેડનું સ્થાન ગુમાવ્યો

Kutch Kanoon And Crime

Leave a comment