Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

અંજાર ખાતે મૃત હાલતમાં મળી આવેલ મહિલાની ઓળખ થઈ

અંજાર ખાતે આજે વહેલી સવારે કેજી માણેક સ્કૂલ પાછળ આવેલા મેદાનમાંથી મળી આવેલ એક મહિલાની લાશ પોલીસે કબજે કર્યા પછી સંબંધીત મહિલાની ઓળખ થઈ છે મૃતક મહિલા રેશ્માબેન ભરત ભંભાણી આદિપુરની હોવાનું સ્પષ્ટ થયું છે દરમિયાન મૃતક મહિલાની ગળે ટુંપો આપીને હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે જોકે પોલીસ લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે તો સાથે સાથે સંબંધિત મૃતક મહિલાના સંબંધીઓની પણ પૂછપરછ હાથ ધરાઇ છે આ મામલો આજે રાત્રિ સુધીમાં સ્પષ્ટ થઈ જવાની શક્યતા જોવાઈ રહી છે જોકે મહિલાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારાયાની આશંકા પ્રબળ છે. ગાંધીધામ ખાતે આદિપુરના એક ફર્નિચર શોરૂમના માલિકના પુત્રની કથિત ભૂમિકા વાળી ભાવિશા નામની યુવતીની આત્મહત્યાની ઘટના બાદ આ ઘટના પણ હત્યાની હોવાની આશંકાના પગલે સિંધી સમાજમાં ચકચાર મચી ગઈ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

માંડવીના બાડા નજીક આવનાર GHCL (ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ) કંપનીના કારણે સ્થાનિક ફાયદા નુકસાન વિસે પચાણ ગઢવીએ શું કહ્યું…

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસનો બુટલેગરો પર સપાટો : છેલ્લા ઘણા સમયથી દારૂ-ગાંજા સહિતના કેશો શોધવામાં સક્ષમ

Kutch Kanoon And Crime

ભુજ લોહાણા મહાજનના સેવાભાવી અને અનમ ગ્રુપના માલિક પરેશ અનમની રહસ્યમય આત્મહત્યા

Leave a comment