અંજાર ખાતે આજે વહેલી સવારે કેજી માણેક સ્કૂલ પાછળ આવેલા મેદાનમાંથી મળી આવેલ એક મહિલાની લાશ પોલીસે કબજે કર્યા પછી સંબંધીત મહિલાની ઓળખ થઈ છે મૃતક મહિલા રેશ્માબેન ભરત ભંભાણી આદિપુરની હોવાનું સ્પષ્ટ થયું છે દરમિયાન મૃતક મહિલાની ગળે ટુંપો આપીને હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે જોકે પોલીસ લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે તો સાથે સાથે સંબંધિત મૃતક મહિલાના સંબંધીઓની પણ પૂછપરછ હાથ ધરાઇ છે આ મામલો આજે રાત્રિ સુધીમાં સ્પષ્ટ થઈ જવાની શક્યતા જોવાઈ રહી છે જોકે મહિલાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારાયાની આશંકા પ્રબળ છે. ગાંધીધામ ખાતે આદિપુરના એક ફર્નિચર શોરૂમના માલિકના પુત્રની કથિત ભૂમિકા વાળી ભાવિશા નામની યુવતીની આત્મહત્યાની ઘટના બાદ આ ઘટના પણ હત્યાની હોવાની આશંકાના પગલે સિંધી સમાજમાં ચકચાર મચી ગઈ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334