આવી સામાજિક અધઃપતન જેવી ઘટનાઓમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંડોવણી ધરાવનારાઓનું બાર એસોસિએશને પણ વિરોધ કરવો જોઈએ
તાજેતરની બહુચર્ચિત હની ટ્રેપ અને 4 કરોડની ખંડણી માંગી આહિર યુવાનને મારવા માટે મજબુર કરાયાની ઘટનામાં અત્યાર સુધી પકડાયેલ ચાર આરોપીઓ પૈકી એક આરોપી વિવેકસિંહ જાડેજા વ્યવસાય એડવોકેટ છે. આ ઉપરાંત આ ઘટનામાં અત્યાર સુધી જેમના નામ આરોપી તરીકે જાહેર થયા છે એ આરોપીઓ પૈકી કોમલ જેઠવા અને આકાશ મકવાણા નામના બે આરોપીઓ પણ વ્યવસાય એડવોકેટ છે ત્યારે આવા સામાજિક અધઃપતન અને નૈતિક અધઃપતન જેવી ઘટનાઓમાં એડવોકેટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા ચિંતાજનક છે. કોમલ જેઠવા અને આકાશ મકવાણાના ભૂતકાળ પર નજર કરીએ તો આ અગાઉ પણ તેમણે પ્રેમી યુગલોને રજીસ્ટર મેરેજ કરાવવા કાગળીયાઓમાં ઘણું બધું ખોટું સાચું કરાવતા હતા. આવી વકીલાત કરનાર ખાસ કરીને અંજારના અનંત તન્ના હની ટ્રેપ અને ખંડણીના મામલામાં પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે કોમલ જેઠવા અને આકાશ મકવાણાના નામ ચર્ચામાં રહ્યા છે. અનંત તન્ના પ્રકરણ વખતે અનંત તન્ના સામે અંજાર ખાતે આશા ધોરી નામની સુરતની મહિલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા આવી હતી એ વખતે કોમલ જેઠવા અને આકાશ મકવાણાએ અનંત તન્ના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા અંજાર ખાતે ભારે ધમ પછાડા કર્યા હતા પરંતુ અંજાર પોલીસને આ પ્રકરણ કંઈક અલગ હોવાની શંકા જતા દુષ્કર્મની ફરિયાદ નોંધી નહોતી. બાદમાં માંડવી ખાતે એક યોગીતા નામની યુવતી આવી હતી અને યોગીતાએ પણ અનંત તન્ના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો તે વખતે પણ આ બંને એડવોકેટો દ્વારા દબાણ કરાયું હતું પરંતુ માંડવી પોલીસે માત્ર અરજી લઈ તપાસના અંતે ફરિયાદ નોંધવાનું કયા બાદ તપાસમાં આ આખી ફરિયાદ ઉપજાવી કાઢેલી હોવાનું ફલિત થયું હતું. આ બંને વ્યવસાય એડવોકેટ, અને હની ટ્રેપની સિન્ડિકેટ ચલાવતિ મનિષા ગૌસ્વામી અને રમેશ જોષી વગેરે એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે, તેનો એક પુરાવો એ છે કે ગત નવેમ્બર મહિનામાં ગોવા ખાતે જૂનાગઢની એક યુવતીએ અનંત તન્ના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે બાદમાં ફરિયાદીએ કબુલ કરી લીધું હતું કે તેણીએ મનીષા ગોસ્વામી, રમેશ જોષી અને ગૌતમના કહેવાથી અનંત તન્ના સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી. આ કબુલાત સાથે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં વળાંક આવ્યો હતો અને ગોવા કોર્ટે અનંત તન્નાને જામીન આપ્યા હતા. આ ઘટનાક્રમ સમય કચ્છ લડાયક મંચના માધ્યમથી રમેશ જોષીએ ભુજ ખાતેથી પ્રસિદ્ધ થતા એક દૈનિક અખબારમાં જાહેરાત રૂપે કોમલ જેઠવા અને આકાશ મકવાણાએ ફી લીધા વિના અનંત તન્ના સામે ફરિયાદ નોંધાવનાર યુવતીને મદદ કર્યાનો ઉલ્લેખ કરી એ બંને વકીલોની (ચાંપલુસીનો) આભાર વ્યક્ત કરતી જાહેરાત છપાવી હતી, એ સ્પષ્ટ કરે છે કે હની ટ્રેપનું નેટવર્ક ધરાવતી સિંડીકેટમાં આ બને વકીલો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા હોઈ શકે છે. ત્યારે આ બંને વકીલોની ધરપકડ બાદ તેમની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવે તો કાળા ડગલાની ઓઠમાં આચરાયેલા કાળા કરતુતોનો પરદાફાસ થઈ શકે તેમ મનાય છે. સૂત્રો તો એમ કહી રહ્યા છે કે સેવા એવા કેશોમાં જ્યાં કોઈ પણ વકીલ જામીન નોતું કરાવી શકતું, ત્યાં આ લોકો ખોટા દસ્તાવેજ કે બનાવટી આધાર પુરાવા રજૂ કરી જામીન કરાવી આપતા હશે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334