ભુજ ખાતે એરપોર્ટ રોડ પર આવેલ ૩૬ પોલીસ કવાર્ટરના પ્રાંગણમાં વર્ષ ૨૦૧૦ થી કાર્યરત સ્વર્ણિમ શાળા – સિ.કે.જી./જૂ.કે.જી./નર્સરી છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે બંધ હતી જેનું આજે માનનીય પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબે ફરી ઉદધાટન કરી રીબીન કાપી ખૂલ્લી મુકી.
આ કાર્યક્રમ આજરોજ સવારના આઠ વાગ્યે પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ, રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર. જે. રાતડા તેમજ મોમ સ્કુલના ટ્રસ્ટી અને આ સ્વર્ણિમ શાળાના સંચાલક મીનાબેન દાવડા, આર.એસ.આઇ શ્રી મોયાનાઓએ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરેલ. પ્રથમ આર.પી.આઇ., શ્રી રાતડા સાહેબે સહુ અધિકારીશ્રીઓ તેમજ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત કરેલ. બાદ માનનીય એસ.પી. સાહેબે આ બાળમંદિરની વિશેષતાઓ જણાવતા કહેલ કે, આ પ્રાંગણ નાના બાળકોને સુરક્ષિત વાતાવરણ પુરું પાડે છે. બાળકોને રમવા માટે સુરક્ષિત પ્લેગ્રાઉન્ડ છે તેમજ અભ્યાસ માટે હવા ઉજાસ વાળા રૂમો અને અન્ય સુવિધાઓ પણ છે.
આ કાર્યક્રમના અંતમાં બાળમંદિર ફરીથી શરૂ કરવાના નિર્ણય માટે મીનાબેન દાવડાએ પોલીસ અધિક્ષકશ્રીનો આભાર માનેલ. કાર્યક્રમનું સંચાલન એ.એસ.આઇ. હિતેષ જાલાએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર.પી.આઇ., શ્રી રાતડા સાહેબ, આર એસ આઈ શ્રી મોયા, લાઇન જમાદાર હે. કોન્સ શ્રી લક્ષ્મણરાવ જાદવ, દિનેશ ચૌધરી, એ.ડી.આઇ. શ્રી નવલજી તથા સંજય દાવડા , અન્ય પોલીસ સ્ટાફ , તાલીમાર્થી , સ્કૂલ સુપર વાઈઝર શ્રી જ્યેશ ગોસાઈ, તેમજ સ્કૂલ ટીચરનાઓએ જહેમત ઉઠાવેલ હતી.
પ્રકાશીત નીતેશ ગોર – 9825842334