આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડેની ઉજવણી નિમિત્તે અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના સંયુક્ત ઉપક્રમે વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે આયોજીત આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈ વેટ લેન્ડના સંરક્ષણ માટે જનજાગૃતિનું કામ કર્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ વેટલેન્ડના સંવર્ધન માટે પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
◆ આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત દિવસ નિમિત્તે આયોજીત ઓનલાઈન સેમિનારમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓથી લઈને પોસ્ટગ્રેજ્યુએટ કક્ષાના વિદ્યાર્થીઓ સુધી સૌએ ઉમંગભેર ભાગ લીધો. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મેન્ગ્રોવ ઈકો સિસ્ટમ પર વિવિધ પ્રકારના ચિત્રોનું પ્રદર્શન કર્યું. વળી પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના વિદ્યાર્થીઓએ પેપર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં ભાગ લીધો. ચિત્ર હરિફાઈમાં કુલ 61 અને પેપર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં 3 યુનિવર્સિટીના 7 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત અદાણી ફાઉન્ડેશનના એક્સિક્યુટીવ ડાયરેક્ટર વસંત ગઢવીએ આ કાર્યક્રમને બિરદાવતા જણાવ્યુ હતું કે “નવી પેઢી જીવસૃષ્ટિની સંભાળ કરતા શીખે તો પ્રકૃતિ અને આપણી વચ્ચે હકારાત્મક સંધાન બની શકે છે“.
◆ ગાઈડના ડ્યરેક્ટરે પણ આ કાર્યક્રમના હેતુ પર ભાર મૂકી અદાણી ફાઉન્ડેશન તરફથી છેલ્લા એક દાયકા દરમિયાન કરવામાં આવતા મેન્ગ્રોવ પ્લાન્ટેશનને વખાણ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “જો જૈવિક વિવિધતા વધુ વિકસસે તો ઈકો સિસ્ટમ પણ વધુ મજબૂત બનશે”.
◆ ગુજરાત રાજ્યના કુલ વિસ્તારની 17.56 ટકા જમીન વેટલેન્ડ્સ છે. જે કુદરત તરફથી મળેલી અમૂલ્ય સંપત્તિ છે. વેટલેન્ડ એવી ઇકોસિસ્ટમ છે જ્યાં સ્થળીય અને જળચર બંને એક સાથે રહે છે. વેટલેન્ડમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, જળચરો અને પક્ષીઓ પર્યાવરણનું જતન કરે છે.
◆ આ પ્રસંગે કેરલા યુનિવર્સિટિના વાઈસ ચાન્સેલર ડૉ. પદ્માકુમારે ભારતમાં ઈકો સિસ્ટમ અને વિવિધ જાતો અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. વેટલેન્ડની માટી તળાવો, નદીઓ અને તળાવોના કાંઠાનો ભાગ હોય છે. વેટલેન્ડના ઘણા ફાયદાઓ છે.
◆ ભાવનગર યુનિવર્સિટિના વડા ડૉ. ઈન્દ્રા આર. ગઢવીએ ગુજરાતમાં મેન્ગ્રોવ અને તેની જાણવણી વિશેની સમજ આપતા જણાવ્યું હતું કે, “રાજ્યમાં બિનસરકારી સંસ્થાઓના સહયોગથી મેન્ગ્રોવ પ્લાન્ટેશનનો વિસ્તાર વધી રહ્યો છે”. ભારતમાં વેટલેન્ડ્સ મધ્ય ભારતના ઉષ્ણકટિબંધીય ચોમાસાના પ્રદેશોથી દક્ષિણના ભેજવાળા વિસ્તારો સુધી વિસ્તરે છે.
◆ મેન્ગ્રોવ ફાઉન્ડેશન મૂંઈના ઈન્ટરપ્રિટેશન સેન્ટરના વડા શિતલ પંચપાંડેએ સેન્ટરની વિસ્તૃત સમજ આપી ઓનલાઈન વિઝીટ કરાવી હતી.
કાર્યક્રમના અંતે વિજેતા સ્પર્ધકોને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અહીં લુણી દરિયાઈ પટ્ટી પર 162 હેક્ટરનું એવિસીનીયા મરીના તથા 15 હેક્ટરમાં રાઈઝોફોરા, મ્યુકરોનોરા સેરીઓપ્સ અને સેરીઓપ્સ ડિકેન્ટાનું વાવેતર તેમજ જતન કરવામાં આવે છે.
◆ અદાણી ફાઉન્ડેશનની સીએસઆર હેડ પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે ”કચ્છ મુંદ્રામાં મેન્ગ્રોવ અને બાયોડાયવર્સિટીનો વિશાળ અવકાશ રહેલો છે. તેનું જતન કરીને આપણે આર્થિક અને સામાજીક વિકાસ કરી માછીમારોની રોજગારી વધારી શકીએ છીએ.
દર વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત દિવસ – ઇન્ટરનેશનલ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે. ધરતી પર વેટલેન્ડની મહત્વની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશ્વ વેટલેન્ડ ડેનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષનું થીમ ‘વેટલેન્ડ એક્શન ફોર પીપલ એન્ડ નેચર’ હતું, જે માનવ અને ગ્રહના સ્વાસ્થ્ય માટે વેટલેન્ડના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગની ખાતરી માટેની ક્રિયાઓને મહત્વ આપવામાં આવ્યુ હતું.
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334