(મુન્દ્રા કસ્ટોડિયન ડેથ મામલે ફરાર આરોપીઓ અને પીઆઇ સહિત આઠ નામ ખુલ્યા…)
(ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા પોલીસ દ્વારા આકરા તેવર)
(પોલીસની કામગીરીથી સંતુષ્ટ ગઢવી ચારણ સમાજ ગુરુવારે યોજેલ સભા મોકૂફ રાખી…)
મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથ મામલે ગઢવી સમાજના આકરા તેવરના પગલે પોલીસ દ્વારા ફરાર આરોપીઓને શોધી કાઢવા આકરા તેવર સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે બીજી તરફ આ ચકચારી પ્રકરણમાં વધુ કેટલાક આરોપીઓના નામ ખુલતા પોલીસે વિધિવત રીતે વધુ બે પોલીસ કર્મચારી અને સમાઘોઘા ગામના એક ક્ષત્રિય યુવાન સામે ગુનો નોંધ્યો છે. તો ગઢવી ચારણ સમાજે પણ પોલીસની કામગીરીથી સંતુષ્ટ થઈને આ મામલાને લઈને ૭૨ કલાકના આરોપીઓને શોધી કાઢવાના અલ્ટીમેટમને પરત ખેંચી લઇ ગુરુવારે યોજાયેલી સભા મોકૂફ રાખી છે. મુન્દ્રા કસ્ટોડિયલ ડેથમાં હરકતમાં આવેલ પોલીસ પ્રશાસન દ્વારા શરૂઆતમાં ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાયા પછી આ પ્રકારના બેદરકારી દાખવનાર તત્કાલિન પી.આઈ. જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢીયાર સામે પણ ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ કરીને તપાસ વેગવંતી બનાવ્યા બાદ વિરલ ઉર્ફ મહારાજ જીતેન્દ્ર જોશી નામના મૂળ લુણીના જી.આર.ડી. જવાનની પણ ધરપકડ કરી લેવાઈ હતી દરમિયાન આ પ્રકરણમાં તપાસ દરમિયાન અમદાવાદના ચાંદખેડાનો રહેવાસી અને મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કપિલ અમૃત દેસાઈ નામના પોલીસ કર્મચારી અને ગફૂરજી વીરાજી ઠાકોર મૂળ રહેવાસી થરાદ તાલુકો અને હાલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો યુવાન અને સમાઘોઘા ગામના જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સોની સંડોવણી ખુલતાં આ તમામ સામે પણ હત્યાની કલમ તળે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઇ છે. દરમિયાન આજે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સત્તાવાર રીતે એક અખબારી યાદી જાહેર કરાઇ છે જેમાં ફરાર આરોપીઓ એવા (1) શક્તિસિંહ ગોહિલ રહેવાસી ભાવનગર, (2) જયદેવસિંહ અજીતસિંહ ઝાલા રહેવાસી સુરેન્દ્રનગર (3) અશોક લીલાધર કનાડ રહેવાસી સલાયા માંડવી અને (4) કપિલ દેસાઈ રહેવાસી ચાંદખેડા તથા (5) ગફુરજી ઠાકોર રહેવાસી થરાદ અને સમાઘોઘાના (6) જયવીરસિંહ જાડેજા આ તમામને ભાગેડું જાહેર કરી આ આરોપીઓ ક્યાં પણ જોવા મળે તો તાત્કાલિક પશ્ચિમ કચ્છ પોલીસનો સંપર્ક કરવા અથવા આપના નજીકના પોલીસ સ્ટેશનમાં અને જો કોઇ આ આરોપીઓને છુપાવશે અથવા તો આશરો આપશે તો તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે તેવી ચીમકી અપાઇ છે આમ હવે પોલીસ પ્રશાસન પિક્ચર ગંભીર રીતે હરકતમાં આવ્યું છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે આ આરોપીઓ જ્યાં પણ જોવા મળે તો જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ફોન નંબર 02832 250960 અને 253593 અથવા મોબાઇલ નંબર 99799 23450 પર સંપર્ક સાધવા જણાવાયુ છે. દરમિયાન અખિલ કચ્છ ગઢવી ચારણ સભાના અધ્યક્ષ અને સમાજના આગેવાન વિજયભાઈ ગઢવી દ્વારા એક વીડિયો જાહેર કરીને આ મામલાને લઈને પોલીસ કાર્યવાહી પ્રત્યે સંતોષ વ્યક્ત કરીને આગામી ગુરૂવારે યોજાયેલા સમાજની સભા અને આંદોલન અંગે તમામ કાર્યક્રમ મુલત્વી રખાયાની જાહેરાત કરીને સમાજના લોકોને સંયમમાં રહેવાની અને પોલીસ કાર્યવાહીમાં વિશ્વાસ રાખવા જણાવ્યું છે. દરમિયાન સમાઘોઘાના જયવીરસિંહ જાડેજા નામના યુવાનની ભૂમિકા બહાર આવતા આ કસ્ટોડિયન ડેથ પાછળ વધુ કોઈ સનસનીખેજ રાજ છુપાયો હોવાની શક્યતા પણ હોઈ શકે છે અને ફરાર આરોપી પોલીસ કર્મચારીઓ અને જવાબદાર અધિકારી દ્વારા મૃતક અને ઈજાગ્રસ્તોના મોઢા બંધ કરાવવા અને મૃતક સહિત ત્રણેય યુવાનોને મોતને ઘાટ ઉતારી અન્ય કોઈ સ્થાપિત હિત ધરાવનારાઓને ફાયદો પહોંચાડી તેમની સામે મોઢા ખોલવાનો પ્રયાસ કરનારાઓના મોઢા બંધ કરાવવા પ્રયાસ થયાનું મનાય છે. દરમિયાન ફરાર થઈ ગયેલા આરોપીઓ સંભવત જયવીરસિંહ સાથે પગ કરી કોઈ પોતાની અંગત અથવા મિત્રની અંગત સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયાની શકયતા શક્યતા પણ નકારી શકાતી નથી.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334