કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની લીરા ઉડાવતી વધુ એક ઘટનામાં આજે અંજાર ખાતે એક પોલીસ કર્મચારીની સરાજાહેર હત્યા થઈ જતા કચ્છમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આજે સાંજે અંજારના ભરચક વિસ્તારમાં એક પોલીસ કર્મચારીની સરાજાહેર હત્યા થઈ ગઈ છે પોલીસ ખાતામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મરણ જનાર પોલીસ કર્મચારીનો વિજય ચૌહાણ નામ હોવાનું જાણવા મળે છે
હત્યાની આ ઘટનાએ પોલીસ બેડામાં દોડધામ મચાવ્યાની સાથે કચ્છમાં કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ઊભો થયો છે કે બે દિવસ અગશ માંડવી શહેર ખાતે પણ એક યુવકને સરાજાહેર હત્યા થઈ ગઈ હતી. નોંધનીય છે કે મરણ જનારના બંને ભાઈઓ પણ પોલીસ ખાતામાં ફરજ બજાવી રહ્યા છે.
સ્ટોરી – અંજાર બ્યુરો
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334