અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ મેખાંણ તળાવમાં નાહવા ગયેલી ચાર બાલિકાઓ તળાવના ઉંડા પાણીમાં ડૂબી જવાથી એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ બાલિકાઓનો બચાવ થયો હતો. નલિયા ખાતે કરુણાંતિકા સર્જનાર આ ઘટનાની વિગત એવી છે કે આજે બપોરે મુસ્લિમ સમાજની ચાર બાલિકાઓ મેંખાણ તળાવમાં નાહવા ગઈ હતી ત્યારે ઊંડા પાણીમાં ડૂબી જવાથી અલવીના સુલતાન કુંભાર નામની સાત વર્ષીય બાલિકા ઊંડા પાણીમાં ગરક થઈ ગઈ હતી જેથી તે બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે અને ત્રણ બાલિકાઓનો બચાવ થયો હતો. મરણ જનાર બાલિકા નલિયા જુથ ગ્રામ પંચાયતના સદસ્ય જુણસભાઈ કુંભારના પુત્ર સુલતાનની દીકરી હતી. એક સાથે ચાર બાળકો તળાવમાં ડૂબી જવાથી અને એ પૈકી એક બાળકીનું મોત થવાથી નલિયામાં અરેરાટી ફેલાઇ ગઇ છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334