આજ રોજ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે આજરોજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે ૧૫ વેન્ટિલેટર અને ૨૫ પંખાઓને કોરોના કોવીડ-૧૯ ના દર્દીઓ માટે લોકાર્પણ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી કેયર ફંડ એચપીસીએલ માંથી ૫ અને જીએમએસસીએલ (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિ.) માંથી ૧૦ થઇ રાજય સરકારે કુલ ૧૫ વેન્ટિલેટર જી.કે.જનરલ હોસ્પિટલમાં અર્પણ કર્યા તેમજ દાતા અને ધાણેટી ગામના સરપંચશ્રી વાઘજીભાઇ માતાના સહયોગથી ૨૫ પંખા દર્દીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે રાજયમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા શિસ્ત અને કાયદાની અમલવારી કરાવી જનજાગૃતિ કેળવવી પડશે. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ ને નાથવા સ્વયં શિસ્ત અપનાવીએ. કારણ અને કામ વગર બહાર ના જઇ સ્વસલામતી નિભાવીએ. કોરોના શંકાસ્પદ કેસો માટે પણ રિપોર્ટ આવે ત્યાં સુધી હોમ કોરોન્ટાઇન કરાવવું ફરજીયાત છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલના સહકારથી ભુજ ખાતે માત્ર દસ દિવસમાં કોવીડ-૧૯ની લેબોરેટરી કાર્યરત થઇ છે. પ્રજા માટે સરકાર ચિંતિત અને સક્રિય છે ત્યારે અમે સૌ કોરોના અને તકલીફોને હરાવવા દરેક માટે તત્પર છીએ. દાનવીરોના કચ્છ જિલ્લામાં એનજીઓ, આરોગ્ય, સફાઇકર્મીઓ અને સમગ્ર વહીવટી તંત્ર સાથે સરકાર પ્રજાને સહયોગ કરી રહી છે. ત્યારે જનજનની જવાબદારી છે કે કોરોનાને સ્વયંશિસ્તથી હરાવવા કટિબધ્ધ બનીએ, તેમ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ઉમેર્યુ હતું. તો વધુમાં કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્વસલામતી સૌની જવાબદારી છે. કોવીડ-૧૯ માટેની ગાઇડલાઇનને અનુસરવા જનજાગૃતિ કેળવીને તે અમલમાં મૂકવી જોઇએ. સાંપ્રત સમાજની કોવીડ-૧૯ની લડાઇમાં સરકાર, સંસ્થાઓ, કર્મયોગીઓ અને પ્રજાની સાવચેતી નોંધનીય છે અને લોકોએ પણ વધુ સજાગ સચેત થઇ સાવધાનીપૂર્વક સલામતીથી જીવવું પડશે. ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે આ તકે વૈશ્વિક મહામારીમાંથી ઝડપથી બહાર આવીએ તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સીવીલ સર્જનશ્રી ડો.કશ્પય બુચે શાબ્દિક પ્રવચનમાં કોરોના કોવીડ-૧૯ ની વિગતે છણાવટ કરી જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓઓ કુલ ૪૨ વેન્ટિલેટર છે અને અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી તેમજ વહીવટી તંત્રના સહયોગથી રાજય સરકાર દ્વારા કુલ ૧૫ વેન્ટિલેટર અને દાતાશ્રી વાઘજીભાઇ માતાના સહયોગથી ૨૫ પંખા મળ્યા છે.
કોરોના કોવીડ-૧૯ માટે જિલ્લામાં જી.કે.જનરલ હોસ્પિટલ, હરિ ઓમ ગાંધીધામ, એલાયન્સ હોસ્પિટલ મુન્દ્રા ખાતે તેમજ વિવિધ ખાનગી હોસ્પિટલો કાર્યરત છે. સપ્તાહથી હોમ આઇસોલેશન પણ પ્રારંભ કરવામાં આવ્યું છે. આ તકે કોરોના દર્દીઓ માટે શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજના હેમેન્દ્રભાઇ જણાસારીએ ૨૦૦ પુસ્તકો અને સામાજિક અગ્રણીશ્રી ભરતભાઇ સંઘવીએ ૫૦ પુસ્તકો મંત્રીશ્રીને અર્પણ કર્યા હતા. આ તકે સર્વશ્રી સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાણી, અગ્રણી સર્વશ્રી દિલીપભાઇ ત્રિવેદી, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી લતાબેન સોલંકી, ચેરમેનશ્રી ભરતભાઇ રાણા, કાઉન્સીલરશ્રી ગોદાવરીબેન ઠકકર, જી.કે.આરએમઓ ડો.કતીરા, હસમુખભાઇ મોરબીયા, એડિશનલ મેડિકલ સુપ્રિ.નરેન્દ્રભાઇ હિરાણી, શ્રી કિશોર ચાવડા, ડો.વિશ્વા મોહન, શ્રી શાંતિલાલ સોની તેમજ ભુજ નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, આરોગ્યના અધિ-કર્મચારીઓ, તબીબો, કર્મીઓ કોવીડની ગાઇડલાઇન અનુસરીને ઉપસ્થિત રહયા હતા.
પ્રકાશિત : નિતેશ ગોર 98258242334
(જાહેર ખબર)