Kutch Kanoon And Crime
Breaking NewsBhujGujaratKutch

માનુકુવા ગામે આખલા સાથે બુલેટ અથડાતા આશાસ્પદ યુવાનનું મોત

હાઇકોર્ટે ટકોર કર્યા બાદ રાજ્યમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરોને કાબૂ કરવા સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્રણેક દિવસ અગાઉ માનુકુવા ગામે આખલા સાથે બુલેટ અથડાતા આશાસ્પદ યુવાનનું મોત થઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ છે. તાજેતરમાં માનકુવા ગામે રહેતા મૂળ હમલા મંજલના પરંતુ માનકુવા રહેતા ઇન્દ્રજીતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનની જઈ રહ્યો હતો ત્યારે બુલેટ સાથે રોડ પર રખડતા આખલાએ ટક્કર મારી હડપેટે લીધા બાદ ગંભીર ઇજાઓ થવાથી ઇન્દ્રજીતસિંહનું મોત થયું હતું. ઇન્દ્રજીતસિંહને માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચ્યા બાદ સારવાર માટે ભુજ ખાતે ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તેમનો જીવનદીપ બુજાઈ ગયો હતો. નોંધનીય છે કે રખડતા આવારા ઢોરોના કારણે રોડ રસ્તા પર અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે આ બાબતે નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ફટકાર લગાવાયા છતાં સરકાર દ્વારા કોઈ ઠોસ કદમ ઉઠાવાતોત નથી જેના કારણે ઢોરોનો આતંક યથાવત રહ્યો છે તંત્ર દ્વારા બેદરકારી છતી થઈ રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

રત્નાકર બેંક લીમિટેડ (મહારાષ્ટ્ર)ના કરોડો રૂપિયાના કૌભાંડના ગુનામાં CID ક્રાઈમ તરફ સ્પેશિયલ પુબ્લિક પ્રોસિક્યુટર તરીકે કલ્પેસ ગોસ્વામીની નિમણુંક

Kutch Kanoon And Crime

ક્ષત્રિય યોદ્ધા એવા સ્વ. પૃથ્વીરાજસિંહ ઝાલાએ પોતાનો જીવ આપી ક્ષત્રિય ધર્મ નિભાવ્યો : અંજારની ઘટના

Kutch Kanoon And Crime

“આપણું માસિક, આપણી વ્યવસ્થા” હેતુ સાથે CSPC ધ્વારા માસિક દિવસની ડિજિટલ ઉજવણી કરવામાં આવ

Leave a comment