Kutch Kanoon And Crime
GujaratKutchMundraSpecial StorySports

કચ્છનો આદિત્યસિંહ જાડેજા બન્યો ક્રિકેટ જગતનો ઉગતો સુરજ

અદાણી પોર્ટની મદદ થકી કચ્છની પ્રતિભાને ચમકવા મળ્યું વિશાળ ગગન

કચ્છની ધીંગી ધરાએ દેશને અનેક ધુરંધરો આપ્યા છે. સ્વાતંત્ર્યવીર શ્યામજીકૃષ્ણ વર્માની જન્મભૂમિ માંડવીનો કિનારો ફરીવાર એકવાર ચર્ચામાં છે. દેશભક્તિની જેમ ખેલજગતમાં પણ આગવી ઓળખ ઉભી કરવા અહીંના ખેલાડીઓ જોમ બતાવી રહ્યા છે. આવું જ એક ઉભરતુ નામ છે આદિત્યસિંહ જાડેજાનું, કચ્છના ઉગતા સુરજ તરીકે ઉભરી આવેલો આદિત્યસિંહ રણજી ક્રિકેટ ટીમમાં પસંદગી પામતા કચ્છમાં આનંદ છવાયો છે. કચ્છમાં ત્રણ દાયકા બાદ કચ્છના આ ત્રીજા ખેલાડી આદીત્યસિંહ જાડેજાની રણજીની ટ્રોફીમાં એન્ટ્રી થઈ છે. 16 ખેલાડીઓની રણજી ટીમમાં 21 વર્ષીય આદિત્યસિંહને 8’મું સ્થાન પ્રાપ્ત થયું છે. આગામી રણજી મેચમાં તે બેસ્ટ બોલર તરીકે પ્રતિનિધિત્વ કરી કચ્છ પંથકનું ગૌરવ વધારશે. ક્રિકેટર બનવાનું સપનું દેશના કરોડો યુવાઓ જોતા હોય છે પરંતુ તેમાંથી જૂજ ખેલાડીઓ જ ટીમમાં પસંદગી પામતા હોય છે. આદિત્યસિંહની રણજી ટ્રોફીમાં પસંદગી પામવા સુધીની સફર અત્યંત પડકારજનક રહી છે. ‘પૂત્રના લક્ષણ પારણામાં’ એ કહેવતને યથાર્થ ઠેરવતા આદિત્યસિંહએ રમતજગતમાં પોતાની પ્રતિભાના પરચમ બાળપણથી જ લહેરાવવાના શરૂ કર્યા હતા. નાની ખાખર ગામે ઉછરેલા આદિત્યસિંહને ક્રિકેટ પ્રત્યે અતૂટ લગાવ હોવાથી તે હંમેશા ક્રિકેટના મેદાન તરફ દોડી જઈ પ્રેક્ટિસ શરૂ કરી દેતો હતો. શરૂઆતમાં પિતાએ મિત્ર સર્કલ પાસેથી મદદ લઈને આદિત્યસિંહને મુંબઈમાં તાલીમ અપાવી છે. કુશળતા પુર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ આદિત્યસિંહ ઘણી મોટી મેચોમાં પસંદગી પામ્યો હતો. જો કે, તેનું રણજી ટ્રોફીનું સપનુ પુરુ કરવામાં હજુ ઘણી પ્રેક્ટિસ અને પ્રશિક્ષણની જરૂર હતી પરંતુ તે માટે આર્થિક અડચણો પણ ઘણી હતી. આદિત્યસિંહના કુટુંબની આર્થિક પરિસ્થિતી તંગ હોવાથી પિતા હનુભાઈ અંદરોઅંદર ખૂબ મુંઝવણ અનુભવતા હતા. તેવામાં ગામના હિતેચ્છુઓએ તેમને ક્રિકેટની વધુ તાલીમઅર્થે અદાણી પોર્ટનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કર્યા. આખરે હનુસિંહે અદાણી પોર્ટની ટીમનો સંપર્ક કર્યો અને અદાણી પોર્ટના એકઝીકયુટીવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહની મદદથી આદિત્યસિંહની મંજીલ આડેથી પાંદડુ હટી ગયું. આદિત્યસિંહની અસાધારણ પ્રતિભા અને લગન જોઈ અદાણી પોર્ટ તેની વહારે આવી આર્થિક મદદ કરવાનો નિર્ધાર કર્યો. ઉભરતા ખેલાડીને આર્થિક મદદ મળતા જ તે ગોંડલના અનુભવી કોચ મોહનસિંહ જાડેજાનું કોચિંગ મેળવી રણજી ટ્રોફીમાં પસંદગી પામ્યો. કચ્છ પંથકમાં રણજી ટ્રોફીમાં પસંદગી પામનાર પ્રથમ ખેલાડી બનતા જ આદિત્યસિંહના માતા-પિતા રાજીના રેડ થઈ ગયા. હનુસિંહ જણાવે છે કે “ આદિત્યસિંહ રણજી ટ્રોફીની મેચમાં પસંદગી થતા સૌના હરખનો પાર નથી, અદાણી પોર્ટની મદદથી આ સપનું સાકાર થયું છે“. અદાણી પોર્ટના એકઝીકયુટીવ ડાયરેક્ટર રક્ષિત શાહ જણાવે છે કે, “કચ્છ પંથકના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. અદાણી પોર્ટ આવી ઉભરતી ખેલ પ્રતિભાઓની કારકિર્દી ઘડતરમાં પ્રોત્સાહન આપતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ આપતું રહેશે”. જેન્ટલમેન ગેમ ક્રિકેટ માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરના દેશોમાં રમાય છે, કચ્છના ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર જોઈ અન્ય દેશો પણ તમને ટીમનો હિસ્સો બનાવશે.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

ભુજ-ભચાઉ હાઈવે પર ગમખ્વાર અકસ્માત…

કચ્છમાં ઉપરા ઉપરી હુમલા અને હત્યાની ઘટનાઓ વચ્ચે ગાંધીધામ ખાતે બે વર્ષના માસુમ બાળકને રહસ્યમય હત્યા

Kutch Kanoon And Crime

માંડવીના બાડા નજીક આવનાર GHCL (ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ) કંપનીના કારણે સ્થાનિક ફાયદા નુકસાન વિસે પચાણ ગઢવીએ શું કહ્યું…

Kutch Kanoon And Crime

Leave a comment