સમગ્ર વિશ્વ સાથે ખાસ કરીને ભારત દેશમાં પણ કોરોના મહામારીએ હાહાકાર મચાવી નાખ્યો છે આ કોરોના વાયરસ હકીકતે છે શું..? લોકોમાં અંદરો અંદર થતી ચર્ચા પ્રમાણે એવો તે કેવો વાયરસ છે કે જે ફક્ત અને ફક્ત અત્યાર સુધી દેશના 45% જેટલા પેન્સનરોને જ અભડાવી રહ્યું છે..? વાત કડવી પણ વિચારવા જેવી છે.! હવે વાત કરીએ તો મોટા મોટા અને માસ્ટર ડિગ્રી મેળવનારા વિષેસગ્યોના કહેવા પ્રમાણે કોરોના વાયરસ એક એવું વાયરસ છે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિના સ્પર્શ થકી ફેલાઈ જાય છે, હા એ વાત માનવી જોઈએ કેમ કે, મોટા મોટા વિશેસગ્યો જે અભ્યાસક્રમોમાં માસ્ટર ડિગ્રી મેળવી ચુક્યા છે તેઓ કહી રહ્યા છે અને આપણી સરકાર પણ એ વાતને સમર્થન આપે છે. હવે વાત આવી આ વાયરસને અટકાવવા માસ્ક જરૂરી છે બીજું કે સેનેટાઇઝરનો ઉપયોગ કરવો, હા એ વાત 100% સાચી છે કે હાથ વારેઘડી ધોવાથી હાથમાં જામેલી ધૂળ અને મેલ આપણા શરીરમાં પ્રવેશી ન જાય, ત્યારે શુ સેનેટાઇઝર યૂઝ કરવાથી કોરોના વાયરસ મરી જસે..? મોટા મોટા તજજ્ઞો એમ કહી રહ્યા છે કે વારે ઘડીએ હાથ ધોવા સારી વાત છે અને ખાસ કરીને સેનેટાઇઝર તો સૌથી બેસ્ટ છે..! હવે વાત આવી કોરોના વાયરસથી થતા મૃત્યુની તો મૃત્યુ આંકની જો ગણત્રી કરવામાં આવે તો 45% જેટલા પેન્સનરો જ છે, એમ કેમ..? જનતા હવે પૂછે છે કે મૃત્યુ આંકમાં વધુ પડતા પેન્સનરો જ કેમ કોરોના વાયરસની ચપેટમાં આવી રહ્યા છે…? બીજું કે મૃત્યુ પછી મૃતદેહને પરિવાર જનોના હાથે અગ્નિ સંસ્કાર કે દફન વિધિ શા માટે નથી કરવા દેવામાં આવતી..? અગર એ મૃતદેહને સ્પર્શ કરવાથી કોરોના સંક્રમણ ફેલાય તો એવા ઘણા બધા વિડીયાઓ સામે આવ્યા છે જેમાં કોરોના સંક્રમિત મૃતદેહને વગર માસ્ક કે વગર કીટ પહેરી ટેપ પટીથી વિટાડવામાં આવે છે શું તેઓને સંક્રમણ નહિ લાગે..? હવે આવા ગણા બધા સવાલો જનતામાંથી તંત્ર સામે ઊભા થવા લાગ્યા છે. બાકી સરકારે બનાવેલા નિયમનું પાલન કરો અમે પણ પાલન કરીયે છીએ બાકી અમારી એજ અપીલ છે કે પોતે પણ સુરક્ષિત રહો અને બીજાને સુરક્ષિત રાખો.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334