અંજારથી મળતી માહિતી અનુસાર, ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ ઉંમર 64, રહેવાસી સિનોગ્રા, તા. અંજાર વાળા છકડો (GJ 12 AV 3487) અને સામે આવતો ફોર્ડ એન્ડિવર કાર (GJ 18 BF 7425) વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં છકડા ચાલક ભરતભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ અકસ્માતના કારણોને લઈને વધુ તપાસ અંજાર પોલીસ કરી રહી છે.
અહેવાલ દિનેશ જોગી અંજાર
પ્રકાશિત નિતેશ ગોર – ભુજ
