ગઈકાલે નખત્રાણા તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજની એક પહેલ “દસોધ” ના ભાગરૂપે કોટડા રોહા મધ્યે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અધ્યક્ષ સ્થાને નરેશ મહેશ્વરીએ ‘દસોધ’ની વિસ્તાર પૂર્વક સમાજને માહિતી આપી હતી તો તાલુકાના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ તાલુકાની વસ્તી ગણતરી જણાવી ‘દસોધ’ની માહિતી આપી સાથે અન્ય વક્તાઓ જયેશ ધુવા, શિક્ષક કાનજીભાઈ, ફોરેસ્ટર ભીમજીભાઈ, રાજેશ જેપાર વગેરે દ્વારાએ મુજબનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને દરેક પરિવારની મહિલાઓને આ ‘દસોધ’ને સફળ બનવાવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અખિલ કચ્છ મહેશ્વરી મેઘવાળ સમાજના કાર્યકારી અધ્યક્ષ નરેશ મહેશ્વરી, નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ હિતેશ મહેશ્વરી, યુવા પ્રમુખ જયેશ ધુવા, પશ્ચિમ સમૂહ લગ્ન સિમિતિ ના પૂર્વ પ્રમુખ ભીમજીભાઈ ફૂલીયા, ધર્મગુરુ એવા ખમું ઔવા, શિક્ષક કાનજીભાઈ, કરશનભાઇ, વેલજીભાઇ, દિપક માતંગ, અનિલ મહેશ્વરી, પ્રહલાદ મહેશ્વરી, રમેશભાઈ ધુવા, સંજુ ભોઈયા, કિશન ધેડા, કપિલ ધુવા, રમેશભાઈ ધુવા, શંકર દનિચા, નરસિંહ ડોરું, દેવજી જોલા, જયેશ, અશોક વગેરે રહયા હતા અને કોટડા સમાજના પ્રમુખ માવજીભાઈ જેપાર, મોહન જેપાર, રાજેશ જેપાર, દામજીભાઇ, સંજયભાઈ, બુધીયાભાઈ, ધરમશીભાઈ, ગોવિંદ વીગોરા, દિપકભાઇ અને એમની સમસ્ત ટીમ રહી હતી અને સંચાલન જગદીશભાઈ વીગોરાએ કર્યું હતું.
અહેવાલ : નીતિન ગરવા દ્વારા
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334