૨૫’મી જાન્યુઆરી સાંજે ગળપાદર જેલના અધિક્ષક મનુભા જાડેજા અને ટ્રેલર મહેબૂબખાન ચૌહાણને એસીબી સ્પેશિયલ કોર્ટમાં રજુ કરાતાં અદાલત બંને અધિકારીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ એસીબીની અન્ય ટુકડીએ ઇન્ચાર્જ જેલ અધિક્ષક મનુભા જાડેજાના ભુજ સ્થિત ઘરની તલાશી લેતાં 1,02,700/- રોકડ મળી આવી હતી જેનો ખુલાસો જાડેજા ન કરી શકતા આ રકમ કબ્જે લેવાઈ છે હવે રિમાન્ડ દરમિયાન આ રકમ અંગેની સ્પષ્ટતા અને અત્યાર સુધી કયા કયા અને કેટલાક કેદીઓ પાસેથી કેટલી રકમ લાંચ પેટે મેળવ્યાની તપાસ કરવામાં આવશે. આ લાંચ કાંડમાં પકડાયેલ મહેમુદખાન ચૌહાણ ૩૧’મીએ રવિવારે નિવૃત્ત થવાના હતા પરંતુ તેઓ નિવૃત્ત થાય તે પહેલા જ સપડાઈ જતા હવે ચૌહાણને નિવૃત્તિ પછીના લાભો મેળવવામાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334