ગઈ રાત્રીએ પુજાબેન નામની 31 વર્ષની યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખામા દુપટો બાંઘી પોતાના જીવનનો અંત આણી દીધો છે આ યુવતીના લગ્નજીવનને 11 વર્ષ થયા હતા તો 5 વર્ષ અગાઉ તેના પતી પ્રેમજી જોશીનું પણ મૃત્યુ થઈ ગયું હતું. આ યુવતીના સાસુ સસરા પણ આ દુનિયાને અલવિદા કરી ચુક્યા છે. પુજાબેન પોતે પોતાના બે નાના બાળકો સાથે જખણીયા ગામે રહેતી હતી. પુજાબેન પ્રેમજી જોષીના પિતાનુ નામ મોહનભાઈ જોષી છે પૂજાએ આત્મહત્યા કરી લીધાના સમાચાર મળતા સમાજમાં દુઃખની લાગણી ફેલાઇ છે. દાદા-દાદી, પિતા પછી માતાએ પણ આ દુનિયાને અલવિદા કારી દેતા તેમના બાળકો નોંધારા બની ગયા છે. આ કેસની તપાસ પી.એસ.આઈ., ચૌધરી કરી રહ્યા છે.
અહેવાલ : સુનિલ મોતા
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334