ક્ષત્રિય સમાજની ઐતિહાસિક જાણકારી રાખ્યા વગર પરષોત્તમ રૂપાલા દ્વારા બોલાયેલા શબ્દોએ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી વિવાદ ઉભો કરી દીધો છે. પરસોતમ રૂપાલાની ટિપ્પણી બાદ રાજપૂત કરણી સેના અને ખાસ કરીને ક્ષત્રિય સમાજની અલગ અલગ 90’થી વધુ સંસ્થાઓ દ્વારા સમગ્ર ગુજરાત અને હવે ભારતભરમાં પ્રદર્શન અને વિરોધ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ક્ષત્રિય સમાજની ઐતિહાસિક ગાથા જાણ્યા, સમજ્યા અને શાસ્ત્રોનું પઠન કર્યા વગર કેન્દ્રીય મંત્રી એવા ભાજપના દિગ્ગજ નેતા અને હાલના રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા એક સામાજિક કાર્યક્રમમાં એક સમાજને રાજી કરી બીજા સમાજને બદનામ કરવા બોલાઈ ગયેલા શબ્દોએ પરષોત્તમ રૂપાલાની છબી ખરાબ કરી નાખી છે ખાસ કરીને હવે ધીમે ધીમે ભાજપની છબી પણ ખરડાવા લાગી છે જેનું એકજ કારણ, કે ચૂંટણીની વાહ વાહિમાં નોતાઓ દ્વારા બોલાઈ ગયેલા શબ્દો, હવે આટલું મોટું રાજકીય પક્ષ ફક્ત એક જ વ્યક્તિ માટે દેશના અને દેશ વિદેશમાં વસવાટ કરતા ક્ષત્રિયોને નારાજ કરી નાખ્યા છે. નોંધનીય બાબત એ છે કે ક્ષત્રિય સમાજનું લોહી ગરમ છે. માન, મોભો અને મર્યાદામાં રહેતું ક્ષત્રિય સમાજ આ વખતે માફીને મૂળમાં નથી, પરંતુ તેમ છતાં અત્યાર સુધી ક્યાય પણ એવું જોવા નથી મળ્યું કે આંદોલન માટે કોઈ જાહેર પ્રોપર્ટીને નુકસાની અને બંધનું એલાન કરાયું હોય વાત તો સાચી છે. પરંતુ ધીરજની પણ હદ હોય છે આટલી મોટી સહનશક્તિ અને ધીરજ સાથે આંદોલન માટે નીકળેલા ક્ષત્રિયો ધીરજ ખોઈ બેસે અને રાજકીય પક્ષો માટે નુકસાની ઉભી થાય તે પહેલા એક વ્યક્તિને રાજી કરવા કરતા સમગ્ર સમાજની માંગ સ્વીકારી લેવી જોઈયે, તે અત્યારનો સમય કહી રહ્યું છે.
– કદાચ પરષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના સૌથી શક્તિશાળી નેતા હોય શકે..!
હવે વાત મુદ્દાની, આટલું મોટું આંદોલન તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના મોડવીઓના પેટનું પાણી પણ નથી હાલતું..!? એનું કારણ શું હોઇ શકે..! કાંતો પરષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના સૌથી વજનદાર અને કદાવર નેતા છે જેની ટીકીટ અગર રદ કરવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું નુક્સાન થઈ શકે છે..!? કાંતો પરષોત્તમ રૂપાલા પાસે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓની કોઈ અંગત વાતો હોય શકે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરી શકતા નથી..!!? સવાલ તો ઉદભવે છે, કારણ કે આટલું મોટું ક્ષત્રિય આંદોલન અને એ પણ યોગ્ય (અગર માફીને સ્થાન ન મળે તો) કેમ કે એક વ્યક્તિ માટે આખે આખા સમાજને ઇગ્નોર કરવા પાછડ કાંઈક તો હોઇ જ શકે તે સનાતન સત્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોક ચાહના અને ફરી વખત ભાજપ સરકાર કરતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા જોવા માટે સમગ્ર ભારત અને દેશ વિદેશના લોકો ઇચ્છી રહ્યા છે (મતદારો કોના પક્ષમાં મતદાન કરે એ મતદારોના મનની વાત છે) પરંતુ જો આવુજ (હું પણું) રહેશે તો, આગામી લોકસભાના પરિણામો પર સો ટકા અસર થઈ શકે છે. કેમ કે, પરષોત્તમ રૂપાલા ફક્ત એકજ વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટી માટે કાં તો સૌથી ખાસ છે અથવા તો સૌથી શક્તિશાળી નેતા છે તે સનાતન સત્ય હાલ જોવા મળી રહ્યું છે..! ભારતીય જનતા પાર્ટીના મોવડીઓ (હું પણાં’ માંથી બહાર આવે) નહિ તો જેમ રાજકીય પાર્ટીઓ જોર શોરથી પોતાની પાર્ટીઓ માટે પ્રચાર કરે છે કે,
દેશ બદલ રહા હૈ,
સમય બદલ રહા હૈ,
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334