Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

ભારતીય સેનાના ગરુડ જવાનો વાવાઝોડાની સંભવત ભયાનકતાના પગલે કચ્છમાં ઉતારાયા

સામાન્ય રીતે આતંકી હુમલા તેવી ઘટનાઓ માટે સતર્ક રખાતા ભારતીય સેનાના ગરુડ જવાનોની એક કંપની કચ્છમાં વાવાઝોડાની ભયાનકતાને ધ્યાનમાં લઇ ઉતારાઇ છે. ભુજ ખાતે પહોંચી આવેલ ભારતીય સેનાના ગરુડ જવાનોની ટીમની કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવીયાએ મુલાકાત લીધી હતી અને સંભવત વાવાઝોડા સામે લોકોની જાનમાલને બચાવવા માટેની ગરુડ જવાનોની ટીમની તૈયારીને બિરદાવી હતી. સામાન્ય રીતે આતંકવાદી હુમલા થતા હોય ત્યારે અથવા તાજેતરમાં કર્ણાટકમાં ત્રણ ટ્રેનોના અકસ્માત જેવી ગંભીર ઘટનાઓ વખતે ગરુડ જવાનોની મદદ લેવાતી હોય છે કે જેઓ કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને બચાવવા સક્ષમ છે એ ગરુડ જવાનોની ટીમને કચ્છમાં ઉતારાઇ છે એ સૂચવે છે કે સંભવત વાવાઝોડું કેટલું ખતરનાક હશે. જોકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વાવાઝોડાને લઈને કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી એટલે ગરુડ કમાન્ડોની મદદ લેવાઇ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

લખપતના દોલતપર ગામની સીમમાં પીલુના ઝાડ પર ચડેલા બે માસૂમોને વીજ આંચકો ભરખી ગયો

ગુજરાત સરકારે ગુજરાતનાં સાંસદોને માર્ગ નિર્માણ અને સુધારણા માટે દરેકને ૧૦ કરોડ ફાળવ્યા બદલ સાંસદશ્રી વિનોદ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો

Kutch Kanoon And Crime

આગામી ૨૬’મી જાન્યુઆરીએ દિલ્હી રાજપથ પર પરેડમાં નેવલ NCC કેડેટ કેપ્ટન તરીકે ચેતન ગઢવીની પસંદગી

Kutch Kanoon And Crime

Leave a comment