ગત તારીખ 29’મી ડિસેમ્બરે મોડી સાંજે કોઈ અગમ્ય સંજોગોમાં પોતાના ઘરેથી ગુમ થયેલી અને બીજા દિવસે અંજાર નજીકના મેઘપર કુંભારડી પાસે અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી લાશ મળી આવી, એ રેશમા ભરત ભંભાણીની હત્યા થયાને લગભગ પાંચ દિવસ વીતી ગયા બાદ હત્યારાના નથી સુરાગ મળ્યા, કે હત્યાનું કારણ પણ સ્પષ્ટ નથી થયું, છતાં પણ ચારે તરફ આ મામલે મૌન સિવાય ગયું છે. ત્યારે પ્રશ્ન એ જરૂર થાય કે રેશમા ભંભાણીની હત્યાનો ભેદ કાયમ માટે બંધ રહી જશે…? આ અને એવા અનેક સવાલ રહસ્યમય આ હત્યા પ્રશ્ને ચર્ચાની એરણે ચડ્યા છે રેશ્માની હત્યાને પાંચ દિવસથી વધુ સમય થવા છતાં આ હત્યાનો ભેદ ઉકેલાયો નથી તેમ છતાં પણ ન તો મૃતકના પરિવારજનો દ્વારા, કે ન તો આદિપુર ગાંધીધામ સિંધી સમાજ દ્વારા હરફ ઉચ્ચારાયો છે, કે આદિપુર ગાંધીધામના મહિલા સંગઠનો દ્વારા પણ આ પ્રશ્ને મૌન સીવી લેવાયું છે જેનાથી આ હત્યા પ્રશ્ને અનેક રહસ્યો સર્જાવા લાગ્યા છે બે સંતાનોની માતા અને આદિપુરની ભદ્ર સોસાયટી એવી સિંધુ વર્ષા સોસાયટીમાં રહેતી આ પરિણીતાની હત્યા પાછળના કારણો અને આરોપીઓ સિંધી સમાજ પર ભારે પડતા દેખાઈ રહ્યા હોય તેવી ચર્ચાઓ થવા લાગી છે તો પોલીસ પ્રશાસનનું મૌન પણ આ મામલે અનેકને અકડાવી રહ્યું છે આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસની જરૂર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે આગળ ન વધવા પોલીસ પર દબાણ હોવાનું પણ મનાય છે ત્યારે આ પ્રકરણમાં ખરેખર તપાસ કરવાની જરૂર છે જેથી સત્ય હકીકત સામે આવી શકે, આશ્ચર્યની બાબતે છે કે આ ઘટના રહસ્યમય હોવા છતાં કચ્છનું મીડિયા પણ મૌન બની ગયું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે હત્યાની આ ઘટના પાછળ ચોકાવનારો વળાંક આવી શકે તેમ મનાય છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334