આજે સાંજે 8.20ના અરસામાં કોઈએ આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી કે હમીરસર તળાવમાં કોઈ અજાણ્યું મૃતદેહ દેખાઈ રહ્યું છે જ્યારે ફાયર બ્રિગેડને આ અંગેની જાણ થતા જ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અજાણી લાસને હમીરસર તળાવમાંથી મહામહેનતે બહાર કાઢવામાં સફળ રહી હતી. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે આજે ઢડતી સાંજે એટલેકે 8 વાગ્યા પછી હમીરસર તળાવમાં કોઈની લાસ દેખાઈ રહી છે તેવા મેસેજ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટિમ સ્થળ પર પહોંચી 10:15 વાગ્યે લાશને ટીમેં બહાર કાઢી હતી. આ ઘટનાની એ/ડીવિઝન પોલીસને જાણ કરાઈ હતી. તો પોલીસે આ લાસને પી.એમ. માં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રકાશિત : નિતેશ ગોર 9825842334
(જાહેર ખબર)