મુન્દ્રા પોલીસ સ્ટેશનના ચકચારી કાંડના ફરાર થઈ ગયેલા આરોપીઓ પૈકીના એક એવા સમાઘોઘા ગામના માજી સરપંચે ભુજની સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે આ સાથે જ ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓ દ્વારા પોલીસ પકડથી બચવાના પ્રયાસ થઇ રહ્યાના પ્રયત્નો શરૂ થયાનું સ્પષ્ટ થયું છે.
નોંધનીય છે કે સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહ જાડેજા પોતાના મિત્ર એવા વિપુલ સિંહ જાડેજા નામના યુવાનની બગદાણા જવાનું છે તેમ કહીને કાર હંકારી ગયો છે એ કારનો પણ કોઈ અત્તોપત્તો મળ્યો નથી પરંતુ આરોપી જયવીરસિંહ દ્વારા આગોતરા જામીન અરજીની પ્રોસિજર થતાં તે સતત કોઈના સંપર્કમાં હોવાની અને અન્ય ફરાર પોતાના આરોપી મિત્રોના સંપર્કમાં હોવાનું સ્પષ્ટ થવા લાગ્યું છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334