15 મે 2025ના રોજ સવારે 5 : 29 વાગ્યાથી 32 એરપોર્ટ પર નાગરિક વિમાન સંચાલન પરનો કામચલાઉ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. હવે આ એરપોર્ટ તાત્કાલિક અસરથી નાગરિક વિમાન સંચાલન માટે ફરીથી ઉપલબ્ધ બન્યો છે. લાંબા સમયથી મુસાફરો માટે આ અપડેટ એક રાહત સમાચાર તરીકે આવ્યો છે.
– વિમાન સેવાઓ ફરી શરૂ કરાઈ…
વિમાન સેવા શરૂ થવાને કારણે હવે મુસાફરો તેમના યાત્રા પ્લાનમાં સહજ રીતે ફેરફાર કરી શકશે. એરલાઇન્સ કંપનીઓ દ્વારા ફ્લાઇટ શેડ્યૂલ અને બુકિંગ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે.
હંગામી ધોરણે બંધ કરાયેલા એરપોર્ટમાં ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, ભુંતર, કિશનગઢ, પટિયાલા, શિમલા, ધર્મશાલા અને ભટિંડા જેવા મોટા એરપોર્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જેસલમેર, જોધપુર, લેહ, બિકાનેર, પઠાણકોટ, જમ્મુ, જામનગર અને ભૂજ જેવા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળોએ એરપોર્ટ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા.
– મુસાફરો માટે સલાહ અપાઈ…
મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એરલાઇન્સ સાથે સીધો સંપર્ક કરે અને તેમના ફ્લાઇટ સ્ટેટસની પૂરી માહિતી મેળવે. વધુમાં, નિયમિત અપડેટ્સ માટે એરલાઇનની ઓફિશિયલ વેબસાઇટ્સ પર નજર રાખવી અનિવાર્ય છે.
– અપેક્ષિત અસર…
વિમાન સેવાનો ફરી આરંભ થતા મુસાફરી માટેની સુવિધાઓ ફરી સામાન્ય સ્થિતિમાં આવશે. મુસાફરો માટે આ સમાચાર રાહત અને સુવિધાજનક છે હવે તેમના પ્રવાસની યોજનાઓ સરળ બની રહેશે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334