અબડાસાના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસના પેકેટો મળી આવવાના સતત સિલસિલા વચ્ચે એકાએક બ્રેક લાગી જતાં તરેહ તરેહની શંકા કુશંકાઓ વ્યક્ત થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે છેલ્લે મોટી સિંધોડીના બે યુવકોનું ચરસના એક પેકેટ સાથે પકડાઈ જવું અને એ પ્રકરણમાં એક વચેટીયાની કથિત ભૂંડી ભૂમિકાની લોકચર્ચા બાદ એકાએક અહીંના દરિયા કિનારેથી જ્યાં નિરંતર ચરસના પેકેટ મળી આવતા હતા એ ચરસના પેકેટ મળી આવવાના સિલસિલામાં આવી ગયેલ બ્રેક અનેક રીતે આશ્ચર્ય પમાડી રહ્યું છે. અબડાસા પંથકમાં ચર્ચાતી વિગતો પ્રમાણે ચરસના પેકેટોનું બિનવારસી હાલતમાં મળી આવવું અને એની વચ્ચે પેકેટો આઘાપાછા કરનારાઓની હલચલ પણ શાંત થઇ ગઇ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યાંથી પણ બિનવારસુ ચરસના પેકેટો મળી આવતા હતા એ પેકેટો પૈકી એકાદ-બે આગળ પાછળ કરીને લાગતા વળગતાઆે સુધી બાતમી પહોંચાડાતી હતી આ બાતમી આપનારા અને એકાદ-બે પેકેટ આગળ પાછળ કરી જનારાઓને હાલમાં રૂકજાઓના આદેશ અપાયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે જો ખરેખર આમ હોય તો સતત મળી આવતા ચરસના પેકેટો મળી આવવાનો સીલસીલો એકાએક બંધ કેમ થયો તેની ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસ કરવી જોઈએ. યાદ રહે અબડાસામાં ચર્ચાતી વિગતો પ્રમાણે અહીં રંધાય છે એના કરતા વધુ ગંધાય છે એ ન ભૂલવું જોઈએ. એક બાજુ સારી વાત છે કે હવે અબડાસા વિસ્તાર ચરસ પ્રકરણમાં બદનામ તો નથી થતું. પણ એવી ચર્ચાઓ થઈ રહી છે, છેક અબડાસાના આંતરિયાળ ગામડા સુધી કાયદાના બાતમીદારો કરતા પણ વધુ કડક અને સચોટ નેટવર્ક સપ્લાયરો ધરાવે છે એ સત્ય છે. દરમિયાન સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં ચરસના એક પેકેટ સાથે બે યુવકો પકડાયા તે પહેલા સંબંધિતો વચ્ચે ત્યાં ઉઠાવી લેવાયો હતો કારણ કે આ બાબતની હકીકતમાં છેક ઉપર સુધી પહોંચી હતી અને ઉપરથી સૂચના મળ્યા બાદ તપાસ હાથ ધરાઇ હતી. દરમિયાન વચ્ચેટીયાને ઉઠાવી લેવાતા ચોંકાવનારો ઘટસ્ફોટ થાય તેમ હતું કારણકે વચ્ચેટીયો એ વચ્ચેટીયો જ હતો જે એક પક્ષેથી માલ લઈ સામા પક્ષે માલ આપતો હતો જેમાં વચ્ચેની મલાઈ તેને મળી જતી હતી હવે જ્યારે વચ્ચેટીયો ઉઠાવી લેવાતા માલ ખરીદનાર મોટા ગજાનું નામ જાહેર થાય તેમ હોવાથી કહેવાય છે કે પરદા પાછળ બધું ગોઠવાયું પરંતુ ઉપરની કક્ષાએથી તપાસ હુકમ હોવાથી અને બાતમી સચોટ હોવાથી મુદ્દામાલ અને જણ બતાવવો જરૂરી હોવાથી વચેટિયા દ્વારા પકડાયેલ બે આરોપી પૈકી એક માટે ગોઠવાયું પરંતુ કમનસીબે એકની જગ્યાએ બે યુવકો આવી ગયા એટલે જવાબદારો માટે ‘લાઠી તોડયા વિના સાપ મરી ગયાની’ જેમ ઓપરેશન સફળ બનાવી દેવાયું અને વચેટિયો પણ બચી ગયો હવે એની પાછળ શું વ્યવહાર વહીવટ થયા છે કે કેમ એ તપાસનો વિષય છે.
પ્રકાશીત નિતેશ ગોર – 9825842334