(સ્થાનિક તપાસ ટીમ તપાસ કરતી નજરે પડે છે)
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ કેન્યા તેમજ માંદરે વતન કચ્છના તમામ સભ્યો અને પ્રતિનિધિઓ, વડીલો, યુવાનો, બાળકો, મહિલાઓ અને દરેક વ્યક્તિને જાણકારી હસે કે 03 એપ્રિલ 2022ના રોજ બનેલી દુઃખદ ઘટનાની તપાસ ક્યાં પહોંચી..? જેમાં કચ્છના બળદિયાની પુત્રી (કરસન વેલજી મેપાણીની પુત્રી) અને નારણપર ગામની પુત્રવધૂ વનિતા એન. સેઘાણી લંગાટા મંદિર ફ્લેટમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. વનીતાને સંતાનોમાં આશરે બે વર્ષની દીકરી છે અને હમણાં જ બે મહિના જેટલો સમય થયો જુડવા બાળકોને જન્મ આપ્યો છે. વનિતા હમેશા ખુશ જ રહેતી હતી અને સમાજમાં કે પરિવારમાં કોઈને પણ મળે ત્યારે ખુશ જ દેખાતી હોય તેવી આશાસ્પદ વનિતા આત્મહત્યા કરી નાખે એ શક્ય નથી. જો અગર તેણી એ આત્મહત્યા કરી તો તેને કેટલો ત્રાસ હસે તેના પતિ નિક્સ દ્વારા વિચાર તો કરો કોઇ આશાસ્પદ યુવતી પોતાની જિંદગીને આવી રીતે અંત આણી દે..! જેણે સૌ કોઈને ખુશ રહેવા અપીલ કરી હોય અને જેને જોઈ ચહેરા પર ખુશી છલકી આવે તેવી વ્યકિત આવી રીતના આપણ વચ્ચેથી ચાલી જાય. બે મહીનાના જુડવા પોતાના સંતાનોને આમ રઝડતા મૂકી દે… આ કેસ હત્યા છે કે આત્મહત્યા છે તે હજી સ્પષ્ટ થયું નથી તેવું તપાસ ટીમ કહી રહી છે..! તેણીના મૃત્યુને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છતાં આજદિન સુધી કોઈ યોગ્ય તપાસ થઈ નથી અને કોઈ રિપોર્ટ કે સ્થાનિક તપાસ ટીમ અથવા તો લાગતા વધતા તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજ પણ સંબંધિત લોકો અથવા પરિવાર કે સમાજ સામે જાહેર કરવામાં આવ્યા નથી. સંતોષ જનક જવાબો પણ મળ્યા નથી. જો આત્મહત્યા હતી તો વનીતાએ શું કામ આત્મહત્યા કરી..? હજી સુધી કેસ દાખલ કરવામાં આવ્યો છે કે શું..? જે રીતે વનીતાની મૃત હાલતની સ્થિતિ જોઈયે તો એવું લાગી રહ્યું છે કે તેણીની પ્રથમ હત્યા કરી નાખવામાં આવી છે ત્યારબાદ તેને બારીની ગ્રિલમાં દોરી વડે લટકાવી દેવામાં આવી છે કેમ કે, તેણીના ચંપલ, તેણીની ચશ્મા, તેણીની બોડીની સ્થિતિ જોતાં એવું જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેને સ્પષ્ટ રીતે સોચી સમજી હત્યા કરી દેવામાં આવી છે. ઘરને ભહારથી તાળું હતું અને અંદર વનિતાએ આત્મહત્યા કરી લીધી હતી તેવું જાહેર મળી રહ્યું છે..! વનિતા સેંઘાણી આત્મહત્યા કિસ્સામાં ન્યાય માટે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ હેઠળના તમામ 24 જેટલા ગામો, બળદિયા, નારણપર, ભુજ, દરેકના વોટસઅપ ગ્રૂપોમાં ન્યાય અને સમર્થના મેસેજ વાયરલ થઈ રહ્યા છે અને અપિલ કરાઇ છે કે, ભવિષ્યમાં આવા કિસ્સાઓ ટાળવા માટે અને વનિતા સેંઘાણીના આત્માને શાંતિ મળે તે માટે સમાજના લોકોને શુક્રવાર, 15 એપ્રિલ 2022થી 18 એપ્રિલ 2022 સુધી શ્રી કચ્છી લેવા પટેલ સમાજ નૈરોબી પશ્ચિમ ખાતે શાંતિપૂર્ણ વિરોધનો ભાગ બનવા વિનંતી કરાઇ છે.
સ્પેશિયલ રિપોર્ટ : સચોટ માહિતગાર દ્વારા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334