◆ અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રાની સ્થાનિક હોસ્પિટલમાં ઓક્સિજન ઉપલબ્ધ કરવા માટે કરેલ કામગીરીથી વધુ 50 કોવિડ ટ્રીટમેંટ બેડ ઉપલબ્ધ થશે…
◆ સાઉદી અરેબિયાથી 60 મૅટ્રિક ટન મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટેન્ક, ઉપરાંત 5000 સિલીંડર્સ આયાત કરાયા…
◆ દુબઈથી પ્રવાહી ઓક્સિજનના વધુ 12 ક્રિઓજેનિક મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટેન્ક આયાત કરાયા…
◆ થાઈલેન્ડથી અદાણી ગ્રૂપ દ્વારા 7 વધુ ક્રિઓજેનિક મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટાંકીઑ ભારત માંગવામાં આવી રહી છે…
◆ જી.કે.જનરલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ વધતા ચોથો ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવશે…
મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લઇને જનજીવન ઉપર ગંભીર અસર કરવા સાથે એક ભયાનક પડકાર ઉભો કર્યો છે જેનાથી કચ્છ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની સામે તબીબી સવલતો ઉપર અકલ્પનિય દબાણ વધી રહ્યું છે. એકાએક સર્જાયેલી આ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા આમ નાગરિકોના આરોગ્યની પ્રાથમિક સગવડ માટે વધુ જગ્યા અને માનવ બળની જરુર છે.
◆ મુન્દ્રા ખાતે થયેલ કામગીરી…
◆ અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે 100 બેડની કોવિડ કેર હોસ્પિટલ…
આ જીવલેણ વાયરસ સામે સંઘર્ષ કરી રહેલ રાજ્ય સરકારના અથાક પ્રયાસોમાં સામેલ થવા કોરોનાની ગંભીર સ્થિતિમાં કોવિડ કેર માટે તબીબી સાધનોની અછત જણાતાં મુંદ્રા ખાતે કોવિડ કેર હોસ્પિટલની ક્ષમતામાં વધારો કરવા એલાયન્સ હોસ્પિટલમાં અદાણી ગ્રુપ દ્વારા કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત એલાયન્સ હોસ્પિટલમાં 50 ઓક્સિજન બેડનો ઉમેરો થયો છે. જે કોરોના દર્દીઓ માટે આશારૂપ પુરવાર થશે. અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રા સ્થિત અદાણી હોસ્પિટલ-મુન્દ્રા ખાતે 100 બેડની ઓક્સીજન સુવિધા વળી કોવિડ હોસ્પિટલ ઉપલબ્ધ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે 50 ઑક્સીજન બેડ કોવિડ ટ્રીટમેન્ટ માટે કાર્યરત કરવામાં આવ્યા છે તથા આગામી દિવસોમાં બીજા 50 બેડ ઓક્સીજનની સુવધા સાથે કોવિડ ટ્રીટમેન્ટ માટે શરુ કરવામાં આવશે. જેને લીધે મુન્દ્રાની જનતા તથા આસપાસના ગામોના લોકોને કોરોના અંગેની સારવાર ત્વરિત મળી રહેશે. અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે અત્યાધુનિક સી.ટી.સ્કેન મશીનની સુવિધા આગામી દિવસોમાં મુન્દ્રા વાસીઓ માટે ઉપલબ્ધ બની રહેશે. હાલ માં જે સી. ટી. સ્કેન મશીન છે તેને સ્થાને નવું અત્યાધુનિક સી.ટી.સ્કેન મશીન લાવામાં આવી રહ્યું છે. જે માટે અદાણી ગ્રુપ દ્વારા અંદાજિત 1.5 કરોડના ખર્ચે અત્યાધુનિક સી.ટી.સ્કેન મશીનનો ઓર્ડર અપાઈ ગયો છે, આ સુવિધા અત્રે થવાથી હવે સ્થાનિક તથા આસપાસના ગામના દર્દીઓ ને સી. ટી. સ્કેન માટે ગાંધીધામ / ભુજ જવાની જરૂર નહીં રહે. વધુમાં ફ્રન્ટ લાઇન વર્કર અને હેલ્થ કેર વર્કરના રસીકરણ માટે અદાણી હોસ્પિટલ મુંદ્રાની પસંગી થયેલી છે. આ હોસ્પિટલ દ્વારા તાલુકાનાં તમામ ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સનું સફળતાપૂર્વક રસીકરણ થયું છે. ઉપરાંત અદાણી હોસ્પિટલ, મુંદ્રાની પસંદગી કોવિડ વેક્સિનેશન સેન્ટર ફોર પ્રાઈવેટ હોસ્પિટલ કેટેગરી માટે થઇ છે. જ્યાં સરકારના નિયમ મુજબ રસીકરણ ચાલી રહ્યું છે. એલાયન્સ હોસ્પિટલ ખાતે અવસાન પામેલા કોવિડના દર્દીઓને સ્મશાને લઈ જવા માટે એમ્બ્યુલન્સની સેવા ગત વર્ષથી ચાલી રહી છે, જે કોવિડ મહામારીના અંત સુધી ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત કોવિડ ટેસ્ટ કરવા માટેની 3000 જેટલી રેપિડ ટેસ્ટ કિટ મુંદ્રા તાલુકા હેલ્થ ઓફિસને સુપ્રત કરાઇ છે. તથા હાલમાં તેમના સૂચન મુજબ ગામોમાં સેનેટાઈઝેશનની કામગીરી ચાલી રહી છે. લોક ભાગીદારીથી તથા અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ભોપાવાંઢ, સીરાચા, નાની ભૂજપુર, મોટી ભુજપુર, નાના કપાયા, પ્રાગપર ૧ અને પ્રાગપર ૨ ગામમાં કરવીમાં આવ્યું છે. ગામ પંચાયત દ્વારા ટ્રેકટર, જરૂરી સાધનો દ્વારા અને ગામલોકોએ સ્વૈચ્છીક શ્રમદાન કર્યું હતુ અને અદાણી ફાઉન્ડેશને સેનીટાઈઝ માટેની સામગ્રી પૂરી પડી હતી.
◆ જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે થયેલ કામગીરી…
અદાણી ગ્રુપ પણ વાયરસ સામેની સરકારની લડતમાં સામેલ થયેલું છે. અદાણી ગ્રુપ દ્વારા કોવિડ-19ની રાહતની કામગીરીના ભાગરૂપે અનેક કાર્યો કરવામાં આવ્યાં છે. તેમાં કચ્છમાં જિલ્લા સ્તરની ભુજ ખાતેની અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલ છેલ્લા એક વર્ષથી કોવિડ હોસ્પિટલ તરીકે સેવા આપી રહી છે. હાલની પરિસ્થિતીમાં કોવિડ પેશન્ટને ઓક્સિજન ટ્રીટમેન્ટની પ્રાથમિક જરૂર હોય છે જેને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં ચોથો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે જેની ક્ષમતા 200 ઑક્સીજન સિલિન્ડર્સની રહેશે જેનાથી અત્રે વધુ કોવિડ પેશન્ટ્સને સારવાર આપી શકાશે. આગામી દિવસોમાં આ ઑક્સીજન પ્લાન્ટ કાર્યવંત થઈ જશે. ઉપરાંત વધુ કોરોના પેશન્ટ્સને સારવાર હેઠળ રાખી શકાય તે માટે ઑક્સીજન ટેન્ક પણ સ્થાપિત કરવામાં આવશે જેથી હોસ્પિટલને ઑક્સીજનનો પુરવઠો અવિરત મળી શકે. અત્રે દાખલ દર્દીઓને આખો દિવસ આરોગ્યપ્રદ ભોજન અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે જેનું સંચાલન અને માર્ગદર્શન હોસ્પિટલના ન્યુટ્રિશન ડૉક્ટરની દેખરેખ હેઠળ થાય છે. હોસ્પિટલમાં દાખલ દરેક દર્દીને એની બીમારી અનુસાર સ્વાસ્થસભર ખોરાક આપવામાં આવે છે જેથી દર્દીને જડપી રિકવરી આવી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ દરમિયાન ઘણા બધા દર્દીઓ અહીં સારવાર મેળવી કોરોનામુક્ત થયા છે. આ હોસ્પિટલ થકી કચ્છના તમામ દસે-દસ તાલુકાઓને તથા તેની જનતાને આરોગ્યના લાભ મળી રહ્યા છે.
◆ વિશ્વભરમાંથી ઓક્સિજન પુરવઠો મેળવવાના પ્રયાસો…
કોવિડ-19 પોઝિટિવ દર્દીઓને ફરીથી સ્વસ્થ કરવામાં મેડિકલ ઓક્સિજનની સર્જાયેલી અછતને અદાણી જૂથે વિશ્વભરમાંથી ઓક્સિજન પુરવઠો મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. અદાણી ગ્રુપ પહેલેથી જ આ રોગચાળા સામે દેશવ્યાપી લડતને મજબૂત કરવા માટે વિશ્વભરમાંથી મેડિકલ ઓક્સિજન, ક્રાયોજેનિક ટાંકી અને ઓક્સિજન સિલિન્ડર જેવી આવશ્યક વસ્તુઓનું સોર્સિંગ અને આયાત કરી રહ્યું છે. સાઉદી અરેબિયાથી અદાણી ગ્રૂપ 5000 ઓક્સિજન સિલિન્ડર આયાત કરી રહ્યું છે. તે ઉપરાંત 60 મેટ્રિક ટન જેટલો મેડિકલ ગ્રેડ ઑક્સિજનનો જથ્થો મુંદ્રા બંદર ખાતે આયાત થઈ ગયો છે. જેને કચ્છમાં અને ગુજરાતમાં સરકારશ્રીના નિર્દેશ અનુસાર મોકલી દેવાયો છે. દુબઈથી અદાણી ગ્રૂપ દ્વારા પ્રવાહી ઓક્સિજન વધુ 12 ક્રિઓજેનિક મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટેન્ક મેળવવામાં પણ દુબઈની સરકાર અને ભારતીય વાયુસેના સાથે અદાણી જુથ સાથે સહયોગ કર્યો છે. થાઈલેન્ડથી અદાણી ગ્રૂપ દ્વારા 7 વધુ ક્રિઓજેનિક મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટાંકીઑ ભારત માંગવા માં આવી રહી છે. તેમાંથી 4 આજે બેંગકોકથી ભારતીય વાયુસેના ના ખાસ વિમાન દ્વારા ઉતારવામાં આવશે. ક્રિઓજેનિક ઓક્સિજન ટાંકી ખૂબ જ ઉપયોગી છે કારણ કે ગેસના સ્વરૂપ કરતાં પ્રવાહી સ્વરૂપ ઓક્સિજન વધુ માત્રમાં પરિવહન કરી શકાય છે. ગુજરાતમાં ઝડપથી વિતરણ માટે વધારાના ઓક્સિજન પુરવઠાની પણ વ્યવસ્થા કરી રહ્યું છે. તેના કર્મચારીઓ મેડિકલ ઓક્સિજનના સિલિન્ડરો રીફિલ કરી કચ્છ જિલ્લામાં જ્યાં જરૂરી હોય ત્યાં તેનું પરિવહન કરી રહ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા થઇ રહેલા આ પ્રયાસો વિવિધ સુવિધાઓમાં નવો ઉમેરો કરશે, એટલું જ નહીં પણ કોરોનાના સંક્રમણની સાંકળને તોડવામાં કટિબદ્ધ રહશે. અદાણી જુથનો તમામ સહકાર કચ્છની જનતા માટે છે અને રહેશે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334