Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundraSpecial Story

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપી પોલીસ કર્મચારીઆેને ફરજમાંથી ડિસમિસ કયારે કરાશે

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના ફરાર થઈ ગયેલા આરોપી પોલીસ કર્મચારીઓના કારણે સમગ્ર ગુજરાત પોલીસને નીચા જોણું થયું છે રાજ્ય સરકાર સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે આ ફરાર આરોપી કર્મચારીઓના કારણે પોલીસ પ્રશાસનને પણ કચ્છમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં ઘણી મુશ્કેલી અનુભવવી પડી છે અને પોલીસખાતામાં ફરજ બજાવતા સારા અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી અને કર્મચારીઓને કારણ વગર આમ જનતામાં બદનામી અને નજરથી નજર મિલાવવામાં તકલીફ સહેવી પડે છે અને વખતો વખત ખુલાસો કરવા પડે છે ત્યારે પ્રશ્ન એ થાય કે આ ઘટના ઘટયાને બે સપ્તાહ થવા આવ્યા છતાં આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા નથી કે તેમનો અતો પતો પણ મળતો નથી ખુદ પોલીસ પ્રશાસને સ્વીકાર્યું છે કે ફરાર આરોપી પોલીસ કર્મચારીઓ ડી/સ્ટાફમાં ફરજ બજાવતા હોઇ આરોપીઓને શોધી કાઢવા પોલીસ પ્રશાસન શું કરે છે તેનાથી તાલીમ બધ અને વાકેફ હતા તેથી તેઓ હાથમાં આવતા નથી મતલબ એજ થયું કે તેઓ પાક્કા ક્રિમિનલ માનસ ધરાવે છે અને આ પોલીસ કર્મચારીઓના પાપનો ભોગ ક્ચ્છની જનતા બની જ હશે એ સત્ય છે પણ કોઈ ખુલીને સામે આવતું નથી. ત્યારે સવાલ એ થાય છે કે આ ફરાર આરોપી પોલીસ કર્મચારીઓને નિયમ પ્રમાણે માત્ર સસ્પેન્ડ કરાયા છે પરંતુ આ ફરાર પોલીસ કર્મચારી આરોપીઓને શા માટે અત્યાર સુધી ફરજ માંથી કાયમી ધોરણે ડિસમિસ નથી કરાયા..? રાજ્ય સરકાર અને રાજ્યના ગૃહવિભાગે તાત્કાલિક અસરથી આ ફરાર આરોપી પોલીસ કર્મચારીઓને ફરજ માંથી ડીસમિસ કરી તેમને મળેલા વેતન પ્રમાણેની મિલકત તપાસી તેમની સ્થાવર-જંગમ મિલકત અગર વેતન પ્રમાણે પ્રમાણસર ના હોત તો તેઓની મિલકત સિલ કરવી જોઈએ કારણકે માત્ર આ ફરાર આરોપી પોલીસ કર્મચારીઓને ફરજમાંથી સસ્પેંડ કર્યાથી તેમને સરકારી નિયમ પ્રમાણે અડધો વેતન આપવું જ પડશે, અને એ અડધુ વેતન મેળવીને આ આરોપીઓ સરકારને જ શિંગળા ભરાવશે, ત્યારે રાજ્ય સરકારે અને પોલીસ પ્રશાસને આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ જેથી આવનાર સમયમાં બીજા કોઇ આવી હરકત કરતા આચકાશે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા કુરુક્ષેત્ર બાદ કચ્છમાં પણ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને એવોર્ડ શેરમનીનું સફળ આયોજન

Kutch Kanoon And Crime

કચ્છીઆેએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખોબા ભરીને મત આપ્યા છતાં નર્મદાના નીર પ્રશ્ને કચ્છની મજાક ઉડાવાઇ : પૂર્વ રાજ્યમંત્રીશ્રી તારાચંદભાઈ છેડા

ગઢશીશાની બજારો સાંજે 6 વાગ્યા પછી બંધનો નિર્ણય

Leave a comment