અબડાસા તાલુકાના નલીયા નજીક આવેલ જસાપર ગામની સીમમાં એક મહિલા સહિત ત્રણ જણા જંગલ વિસ્તારમાં સાંઢાનો શિકાર કરતા હોવાની બાતમીના આધારે કચ્છ વનવિભાગના ડી.સી.એફ. ડોક્ટર તુષાર પટેલે તાત્કાલિક તપાસનો હુકમ કરતા નલિયા ઉત્તર રેન્જના આર.અેફ. ઓ. ચાવડા તથા વનપાલ હિતેન્દ્રસિંહ ચુડાસમા, યુવરાજસિંહ વાઘેલા, અશ્વિનસિંહ તથા વન રક્ષક પ્રતિપાલસિંહ જાડેજા વગેરે જસાપર સીમમાં ધસી જઇ નલિયાના રમેશ મીઠું કોલી, રવજી મામદ અને લક્ષ્મીબેન કરસન કોલીને પકડી પાડી તેમના કબ્જામાંથી 21 મૃત સાંઢા કબ્જે કર્યા હતા. આ ત્રણેય સામે વન્યજીવ સૃષ્ટિ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334