Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

ફરાદી નજીક હત્યા કરાયેલી લાશ મળી એ યુવાન વડોદરાનું હોવાનું સ્પષ્ટ થયું

  • મરણ જનાર યુવાન વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કામ કરતો હતો…
  • મરણ જનાર યુવાનની પ્રેમ પ્રકરણ અથવા તો બ્લેક મેઇલિંગ પ્રશ્ને હત્યા થયાની આશંકા

બે દિવસ અગાઉ માંડવી તાલુકાના ફરાદી ગામની સીમમાંથી હત્યા કરાયેલી અજાણ્યા યુવકની લાશ મળી આવ્યા બાદ મરણ જનાર વડોદરાનો મીત અશોકભાઈ પટેલ નામનો 23 વર્ષીય યુવાન હોવાની વાત સામે આવી છે આ યુવાનની હત્યાનો ભેદ ખૂબ જ ઝડપથી ઉકેલાઇ જવાના સંકેત પણ માંડવી પોલીસને મળ્યા છે આગામી એકાદ દિવસમાં જ આ યુવાનની હત્યાનો ભેદ ભૂલી જવાની સાથે ચોંકાવનારો ઘટસ્ફોટ થવાની શક્યતા જોવાઇ રહી છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગત શુક્રવારે બપોરે ફરાદી ગામની સીમમાંથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી પોલીસ તપાસ દરમ્યાન ખેડા પાર્સિંગની બાઈક પણ હાથ લાગી હતી. જેના પાસીંગ નંબરના આધારે માંડવી પોલીસે તપાસ હાથ ધરતા આખરે મરનાર યુવકની ઓળખ સ્પષ્ટ થઈ છે અને આ યુવાન વડોદરાનો મીત અશોક પટેલ હોવાનું હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસ તપાસ દરમિયાન આ યુવાનની ઓળખ થઈ જતા તેના સંબંધિતોને જાણ કરવામાં આવ્યા બાદ મરણ જનારનો ભાઈ સાગર અને તેની માતા સ્થાનિકે આવી પહોંચ્યા હતા અને તેમણે આ મરણ જનારને ઓળખી બતાવ્યો હતો. વડોદરાના આજવા રોડ પર આવેલા સુભમ કોમ્પલેક્સમાં રહેતો મિત વડતાલ સ્વામિનારાયણ મંદિરના પુસ્તકની દુકાનમાં કામ કરતો હતો અને વડતાલ મંદિરમાં જ રહેતો હતો મીતના ભાઈ સાગરના જણાવ્યા પ્રમાણે મીત ગુરુવારે ઘરેથી વડતાલ મંદિરે જવાનું કહી નીકળ્યો હતો પરંતુ તે વડતાલ જવાના બદલે બાઈકથી કચ્છ આવી ગયો હતો અને ત્યાં હત્યા થઈ એ વિસ્તારમાં પહોંચી ગયો હતો હવે સવાલ એ થાય છે કે મીત છેક વડોદરા થી કચ્છ કયા કારણે આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મરણજનાર યુવક કોઇ યુવતીના પ્રેમમાં હતો અને સંબંધિત યુવતી તેની પાસેથી અવાર નવાર મળવા પણ આવતી હતી. ત્યારે પ્રશ્ન એ થાય કે શું સંબંધિત યુવતી અથવા યુવતીના કોઈ નજીકના સગા સંબંધી કચ્છ રહે છે કે કેમ અને મરણ જનારને અહીં બોલાવીને તેનું કામ તમામ કરી નાખ્યું તો નથીને…? એવો એક સવાલ ઊભો થઈ રહ્યો છે બિન સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મરણ જનાર યુવક રૂપિયા ચારેક લાખ લઈને આવ્યો હતો. ત્યારે પ્રશ્ન એ થાય કે શું મરણ જનાર યુવક પાસેથી રૂપિયા લઈને તેનું કામ તમામ કરી નખાયું તો નથી ને…? તો બીજી તરફ એવી પણ હકીકત જાણવા મળે છે કે આ યુવાનને કચ્છમાં બોલાવીને હત્યા કરી નખાય એટલે હત્યારાઓ પકડાય નહીં તે માટે છે કચ્છમાં હત્યાને અંજામ અપાયો છે..? પરંતુ હત્યાને અંજામ આપનારા છેક વડોદરાથી તેનો પીછો કરતા કરતા અહીં સુધી આવે એ શક્ય નથી તો આ હત્યાના તાર સીધી રીતે સ્થાનિકે જોડાયેલા છે એ હકીકત છે ત્યારે મરણ જનારના કથિત પ્રેમ પ્રકરણના પાત્ર એવી જે પણ યુવતી હશે તેના તાર કચ્છ સાથે જોડાયેલા નીકળે તો નવાઇ પામવા જેવું નહીં હોય.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

BSF’એ જખૌ દરિયા કિનારેથી ચરસના 10 પેકેટો કબ્જે કર્યા

ભારતીય ફોજમાં નાયબ સુબેદાર તરીકે 18 વર્ષ ફરજ બજાવી સેવા નિવૃત્ત થયેલા વાડાપધ્ધરનાં યુવાનનું આવતીકાલે ભવ્ય સ્વાગત કરાશે

Kutch Kanoon And Crime

પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ધરણાં કરનાર મારાજ હવે ગાંજાના કેશમાં પકડાયા…

Kutch Kanoon And Crime

Leave a comment