હમીરપર મર્ડર કેસ જેમાં પાંચ વ્યક્તિઓના મુત્યુ નિપજાવેલ આ કેસમાં કુલ 22 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ આડેસર પોલીસ સ્ટેશન મધ્ય ગુના નંબર 11993005200314/2020 ઇ.પી.સી.કલમ 302, 142, 144, 147, 148, 149, 341, 120બી, 506/2, 34 તેમજ આર્મ્સ એક્ટ 25(I) (B), 27, 29, તેમજ જી.પી.એક્ટ 135 જેવી કલમો સાથે રજીસ્ટર થયેલ હતું સામે પોલીસ તપાસ ચાલુમાં છે ચાર્જશીટ બાકી હોઈ જેમાં આરોપી નં.22 વાળા અરજદાર આરોપી રાધાબેન વિસનજીભાઈ મકવાણાએ નામદાર ભચાઉ સેશન્સ કોર્ટ મધ્યે ફો.પ.અ.નં. 161/2020ના કામે રેગ્યુલર જામીન પર મુક્ત થવા માટે અરજી કરેલ જે અરજીને ગ્રાહ્ય રાખી અધિક નામદાર કોર્ટ તા : 21/7/20 ના રોજ જામીન મંજુર કરેલ હોઈ તો આ કેસમાં જામીન કરાવવા વિધ્વાન વકીલ શ્રી હેતલકુમાર જે. સોનપાર તેમજ તેમની સાથે વિનોદ જી. મકવાણાની ધારદાર દલીલોને ધ્યાને રાખી કોર્ટે જામીન મંજુર કર્યા છે. કહેવાય છે કે હેતલકુમાર સોનપાર અને વિનોદ મકવાણા ક્ચ્છ અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં વકીલાતમાં સારું એવું નામ ધરાવે છે જેઓની ધારદાર દકીલોથી ભચાઉ સેશન્સ કોર્ટે જામીન મંજુર કર્યા હતા.
અહેવાલ : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334